સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. આ 10 સૂત્રીય સંકલ્પ પત્ર છે. જેને પોતાની સરકાર આવતા પુરા કરશે.
સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. આ 10 સૂત્રીય સંકલ્પ પત્ર છે. તેની સાથે જ સપાએ 22માં સાયકલનો નારો પણ આપ્યો છે. સંકલ્પ પત્રમાં શામેલ કરેલા બિંદુઓને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે જાહેરાત કરી ચુક્યા છે કે, સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો, આ તમામ વચનો પુરા કરવામાં આવશે. શુક્રવારે સપાએ સંકલ્પ પત્રનું ફોલ્ડર જાહેર કર્યું છે. તેમાં કહેવાયું છે કે, દરેક પાક માટે MSP આપવામાં આવશે. સપાની સરકાર બનશે તો, 300 યુનિટ વિજળી મફત આપવામાં આવશે. ખેડૂતોને સિંચાઈ માટે મફત વિજળી મળશે. 15 દિવસમાં શેરડીના ખેડૂતોને વળતર મળી જશે. તેના માટે ફાર્મર રિવોલ્વિંગ ફંડ બનાવામાં આવશે. ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
300 यूनिट बिजली फ्री देंगे, सिंचाई के लिए बिजली माफ होगी। किसानों के लिए MSP पर खरीद के लिए इंतजाम किए जाएंगे। गन्ने के भुगतान के लिए उन्हें इंतजार न करना पड़े इसके लिए फार्मर कॉरपस फंड और फॉर्म रिवाल्विंग फंड बनाएंगे:
સંકલ્પ પત્રના મુખ્ય બિંદુઓમાં કહેવાયું છે કે, સમાજવાદી પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત દર વર્ષે ગરીબ વૃદ્ધો, જરુરિયાતમંદ મહિલાઓ અને બીપીએલ પરિવારોને 18,000 રૂપિયા આપવામાં આવશે. 2012-17 સુધી 55 લાખ પરિવારોને સમાજવાદી પેન્શન આપવામા આવશે. વિમા અને પેન્શનની વ્યવસ્થા કરવામાં આવશે. નવયુવાનોને લેપટોપ આપવામાં આવશે. તો વળી સપાની સરકાર બનશે તો, ખેડૂત આંદોલનમાં શહીદ ખેડૂતોના પરિવારને 25-25 લાખ રૂપિયાની આર્થિક મદદ અને તેમના સન્માનમાં ખેડૂત સ્મારક બનાવામાં આવશે. આખલાના હુમલાથી મૃત્યુ પામનારા લોકોને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે.
22 લાખ રોજગારની વ્યવસ્થા
એવું પણ કહ્યું છે કે, આઈટી ક્ષેત્રમાં 22 લાખ રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે. જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવશે. યશ ભારતી સન્માનને ફરીથી શરૂ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં સારૂ કામ કરનારા લોકોને નગર ભારતી એવોર્ડ આપવામાં આવશે.