બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : તો નર્કમાં કોઈ નહીં બચે, સ્વર્ગ હાઉસફૂલ થઈ જશે, મહાકુંભ સ્નાન પર લપસી સાંસદની જીભ

પ્રયાગરાજ / VIDEO : તો નર્કમાં કોઈ નહીં બચે, સ્વર્ગ હાઉસફૂલ થઈ જશે, મહાકુંભ સ્નાન પર લપસી સાંસદની જીભ

Last Updated: 10:26 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અંસારી મહાકુંભ પર એક વિવાદીત નિવેદન આપ્યું છે.

યુપીના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં પવિત્ર સ્નાનને લઈને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. શાદિયાબાદમાં સંત રવિદાસ જયંતી કાર્યક્રમમાં બોલતાં સાંસદ અફઝલ અંસારીએ કહ્યું કે માન્યતા છે સંગમ તટ પર નહાઈને વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે, પાપ ધોવાઈ જશે, અર્થાત આગળ વૈકુંઠમાં જવાનો રસ્તો ખુલી જશે, તેથી જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તેનાથી લાગે છે કે હવે નર્કમા કોઈ નહીં બચે તો સ્વર્ગ હાઉસફુલ થઈ જશે.

યુવાનો ટ્રેનોના કાચ તોડી રહ્યાં છે

અંસારીએ ટ્રેનોમાં ભારે ભીડ પર બોલતાં એવું કહ્યું કે 15-20 વર્ષના યુવાનો ટ્રેનોના કાચ તોડી રહ્યાં છે જેને કારણે મહિલાઓ અને બાળકો ભયભીત છે. ટીટી પોતાની વર્દી ઉતારી રહ્યાં છે. પોલીસ પણ પરેશાન છે.

મહાકુંભ પૂરો થવામાં હવે ગણતરીના દિવસો

ઉલ્લેખનીય છે કે મહાકુંભ પૂરો થવામાં હવે થોડા દિવસો બચ્યાં છે. 26 ફેબ્રુઆરીએ મહાકુંભ પૂરો થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

maha kumbh 2025 maha kumbh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ