પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે ઉત્તર પ્રદેશના એક રાજકીય યુગનો સૂર્યાસ્ત થયો છે. ત્યારે તેમના દીકરા અખિલેશ યાદવે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.
મુલાયમ સિંહ યાદવનું નિધન
દીકરા અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા
કહ્યું- મારા પિતાજી અને સૌના નેતાજી હવે નથી રહ્યાં
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે અખિલેશ યાદવે પ્રથમ પ્રતિક્રિયા ટ્વીટર પર શેર કરતા લખ્યું કે, મારા આદરણીય પિતાજી અને સૌના નેતાજી નથી રહ્યા.
मेरे आदरणीय पिता जी और सबके नेता जी नहीं रहे - श्री अखिलेश यादव
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવનું 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા શોક વ્યાપ્યો હતો.દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની જાણીતી મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
Mulayam Singh Yadav Ji distinguished himself in UP and national politics. He was a key soldier for democracy during the Emergency. As Defence Minister, he worked for a stronger India. His Parliamentary interventions were insightful and emphasised on furthering national interest. pic.twitter.com/QKGfFfimr8
સપા નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટ્વીટર પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેઓ કટોકટી દરમિયાન લોકતંત્રના એક મુખ્ય સૈનિક રહ્યા.
ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.
મુલાયમ સિંહ યાદવે બે વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી દેવી હતું કે જેનું મે 2003માં અવસાન થયું હતું, તેઓ અખિલેશ યાદવના માતા હતા. મુલાયમ સિંહ યાદવે બીજી વાર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. તાજેતરમાં જ સાધના યાદવનું અવસાન થયું હતું.
મુલાયમ સિંહ યાદવની 5 દાયકાની રાજકીય કારકિર્દી
1967, 1974, 1977, 1985, 1989, 1991, 1993 અને 1996 એમ 8 વખત તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા હતા.
1977 તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં સહકારી અને પશુપાલન મંત્રી હતા. તેઓ લોકદળ ઉત્તર પ્રદેશના પણ અધ્યક્ષ હતા. 1980માં તેઓ જનતા દળના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા.
1982-85માં વિધાન પરિષદના સભ્ય હતા.
1985-87માં તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
તેઓ 1989-91માં ઉત્તર પ્રદેશના CM હતા.
1992માં સમાજવાદી પાર્ટીની રચના કરી હતી.
1993-95માં તેઓ ઉત્તર પ્રદેશના CM રહી ચૂક્યાં છે.
1996માં તેઓ સાંસદ બન્યા.
1996-98માં તેઓ સંરક્ષણ મંત્રી હતા.
1998-99માં ફરીવાર તેઓ સાંસદ તરીકે ચૂંટાયા.
1999માં સાંસદ તરીકે ત્રીજી વખત તેઓ લોકસભા પહોંચ્યા અને ગૃહમાં સપાના નેતા બન્યા.
ઓગસ્ટ 2003થી મે 2007 સુધી તેઓ ઉત્તર પ્રદેશના સીએમ બન્યા.