યૂપીના પૂર્વ સીએમનું પાર્થિવ શરીર તેમના વતન ઇટાવાનાં સેફઇ ગામે પહોંચી ગયું છે.
સૈફઈ પહોંચ્યું મુલાયમ સિંહનું પાર્થિવ શરીર
CM યોગી સહિત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
આવતીકાલે થશે અંતિમ સંસ્કાર
સમાજવાદી પાર્ટી સંરક્ષક અને ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષનાં હતાં. તેમણે આજે સવારે 8:15 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં. મુલાયમસિંહને યૂરિન ઇન્ફેક્શન, બ્લડ પ્રેશરની અને શ્વાસ લેવામાં તકલીફ હતી જેનાં કારણે તેઓ થોડાં દિવસ હોસ્પિટલમાં જ દાખલ હતાં.
અંતિમ સંસ્કારમાં કોણ-કોણ રહેશે હાજર?
મુલાયમસિંહનું પૂરાં રાજકીય સન્માન સાથે આવતી કાલે બપોરે 3 વાગ્યે સેફઇ ખાતે અંતિમ સંસ્કાર થશે જેમાં યૂપીના સીએમ યોગીજી, રાજનાથસિંહ, નીતિશ કુમાર, શરદ યાદવ, લાલુપ્રસાદ યાદવ વગેરે જેવા દિગ્ગજ નેતાઓ મુલાયમસિંહની અંતિમયાત્રામાં જોડાશે.
CM યોગીએ મુલાયમસિંહને આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સેફઇમાં મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી છે. નેતાજીના પાર્થિવ શરીરનાં સેફઇ આવવા પહેલાં જ સીએમ યોગીજી સ્થળ પર પહોંચી ગયાં હતાં. યોગીજી સાથે અખિલેશ યાદવ અને અન્ય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
સેફઇ પહોંચ્યું મુલાયમસિંહનું પાર્થિવ શરીર
મુલાયમસિંહનું પાર્થિવ શરીર સેફઇ ગામ પહોંચી ગયું છે ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું તેમના અંતિમ દર્શન કરવા ઊમટી પડ્યું હતું.
આવતી કાલે થશે અંતિમ સંસ્કાર
મુલાયમસિંહને એમ્બ્યુલ્નસ દ્વારા સેફાઇ પહોચાડી દેવાયા છે અને આજે લોકો તેમના અંતિમ દર્શન કરવા ઊમટી પડ્યાં છે. તેમના પાર્થિવ શરીરનું અંતિમ સંસ્કાર આવતી કાલે સવારે 3 વાગ્યે સેફાઇમાં કરવામાં આવશે.
અખિલેશે લખ્યું કે...
અખિલેશ યાદવે આ માહિતી ટ્વીટ કરતાં લખ્યું કે મારાં પિતાજી અને બધાંના નેતાજી હવે નથી રહ્યાં.
અમિત શાહે પણ કર્યાં અંતિમ દર્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેદાંતા હોસ્પિટલમાં મુલાયમસિંહનાં અંતિમ દર્શન કર્યા. તેમણે અખિલેશ યાદવની પણ મુલાકાત લીધી.
मुलायम सिंह यादव जी के निधन से उत्तर प्रदेश व राष्ट्रीय राजनीति में एक बड़ी रिक्तता आयी है।
गुरुग्राम के मेदांता अस्पताल में नेताजी को श्रद्धांजलि अर्पित की और उनके पुत्र अखिलेश यादव जी व परिजनों से भेंट कर संवेदना व्यक्त की। pic.twitter.com/G0jIAZKzqt