સામાન્ય રીતે ખાખીવર્દીની છાપ લોકોમાં ખરડાયેલી હોય છે. પરંતુ તે વ્યક્તિગત અનુભવ આધારિત માત્ર માન્યતા હોય છે. હકીકતમાં આ ખાખી વર્દી પાછળ પણ માનવતાથી તરબતર હૈયું ધબકતું હોય છે. આ વાત તમને એમ નહીં સમજાય. પરંતુ જ્યારે તમે વલસાડ જિલ્લાની એ મહિલાઓને મળશો કે જેઓ દારૂનાં વ્યવસાયને તજીને સ્વમાનભેર જીવન જીવવા ડગ માંડતી થઈ તો તેનાં મૂળમાં રહેલી પોલીસની પ્રશંસનીય કામગીરીને તમે બિરદાવ્યા વગર નહીં રહી શકો.
સામાન્ય રીતે ખાખીવર્દીની છાપ લોકોમાં ખરડાયેલી હોય છે. પરંતુ તે વ્યક્તિગત અનુભવ આધારિત માત્ર માન્યતા હોય છે. હકીકતમાં આ ખાખી વર્દી પાછળ પણ માનવતાથી તરબતર હૈયું ધબકતું હોય છે. આ વાત તમને એમ નહીં સમજાય. પરંતુ જ્યારે તમે વલસાડ જિલ્લાની એ મહિલાઓને મળશો કે જેઓ દારૂનાં વ્યવસાયને તજીને સ્વમાનભેર જીવન જીવવા ડગ માંડતી થઈ તો તેનાં મૂળમાં રહેલી પોલીસની પ્રશંસનીય કામગીરીને તમે બિરદાવ્યા વગર નહીં રહી શકો. તો જોઈએ ખાખીવર્દી પાછળ ધબકતા હિતકારી હૈયા અને બદીથી પાર ઊતરેલી અનેક જીવન નૈયાઓનો આ અહેવાલ.
આ મહિલાઓ નમકીનની એક જાણીતી કંપનીમાં માનભેર નોકરી કરી રહી છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહી છે. મહિલાઓનાં ચહેરા પર હર્ષ, ગર્વ અને સંતોષની લાગણી જોવા મળી રહ્યાં છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે બે વર્ષ અગાઉ આ જ હાથોમાં જીવલેણ દારૂની પોટલીઓ અને બોટલો જોવા મળતી હતી. પરંતુ બે વર્ષ અગાઉ આ મહિલાઓ દારૂનાં ધંધા સાથે સંકળાયેલી હતી. પરંતુ હવે આ મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે.
તેનાં મૂળમાં વલસાડ પોલીસની માનવતાવાદી પહેલ જવાબદાર છે. શરાબ વ્યવસાયની બદીનાં કળણમાં ખૂંપેલી આ મહિલાઓ આજે નમકીન કંપનીમાં સ્વમાનભેર આજિવિકા રળતી થઈ છે. આ મહિલાઓએ સ્વમાનભેર મહેતનના બળે પોતાની ઓળખ તો બદલી જ છે સાથે સાથે પોતાનાં સંતાનોનાં ભવિષ્યને પણ યોગ્ય દિશા આપી છે. તેમનાં જીવનમાં આવેલું આ પરિવર્તન વલસાડ પોલીસના સરાહનીય પ્રયાસને આભારી છે.
વલસાડનાં ડુંગરી ગામે આવેલી એક પ્રતિષ્ઠિત નમકીન કંપનીમાં આ મહિલાઓ હાલ નોકરી કરી રહી છે. એક સમયે દારૂના વેપારનીની બદીમાં સપડાયેલી અને રોજબરોજની જિંદગીમાં આર્થિક સંકડામણનો સામનો કરનારી આ મહિલાઓ એટલી જ દેવાના ભારણ નીચે પણ દબાયેલી હતી. ઉપરથી સામાજિક બદનામી અને તિરસ્કૃત જીવને તેમને ચારેકોરથી ભીંસમાં લીધા હતાં.
પરંતુ તેમનું જીવન વધારે બદતર બને તે પહેલા સુરત રેન્જનાં તત્કાલિન આઈ.જી.આઈ જી ડોક્ટર સમશેર સિંહે મહિલાઓને આ દોજખભરી અને ગુનાખોરીની દુનિયામાંથી બહાર કાઢવા એક પહેલ શરૂ કરી. આ પહેલને કારણે આજે આ મહિલાઓની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. દારૂના ધંધાથી મુક્ત કરાવવા પોલીસે સૌ પ્રથમ મહિલાઓનું કાઉન્સીલિંગ કર્યુ. ત્યાર બાદ વલસાડ અને આસપાસની કંપનીનાં સંચાલકોને બોલાવી તેની સાથે બેઠક કરી અને આ મહિલાઓને કંપનીઓમાં નોકરી આપવા માલિકોને પોલીસે વિનંતી કરી.
પોલીસની પહેલને કંપની સંચાલકોએ વધાવી લીધી. કંપનીનાં સંચાલકોએ આ બાબતને સામાજિક જવાબદારી સમજીને ઉપાડી લીધી અને સામાજિક પરિવર્તનની દિશામાં પોતાનો ફાળો આપ્યો. જેનાં કારણે વલસાડનાં ડુંગરીમાં આવેલી એક જાણીતી નમકીન કંપનીમાં ભૂતકાળમાં દારૂનાં વ્યવસાય સાથે સંકળાયેલી પંદર મહિલાઓ હાલ નોકરી કરી રહી છે અને મહિને સારું એવું કમાઈને પોતાનાં પરિવારનું ભરણપોષણ કરી રહી છે.
એક હાથે તાળી પડતી નથી. તેમ જો કંપનીનાં સંચાલકોએ પોલીસ પહેલને સહકાર ન આપ્યો હોત તો આ મહિલાઓને બદીનાં કળણમાંથી બહાર ન કાઢી શકાઈ હોત. પોલીસની એક માનવીય અને પ્રશંસનીય પહેલે મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આ માત્ર ગણતરીની મહિલાઓના જીવનનું પરિવર્તન નથી.પરંતુ એક મોટો સામાજિક બદલાવ છે.