સુરતનો કિન્નર સમાજ ફરી એકવાર મદદે આવ્યો છે. ઉધના દરવાજા પાસે કિન્નર સમાજ સિગ્નલ પાસે ઉભા રહી ફંડ ઉઘરાવે છે.
ધૈર્યરાજસિંહ માટે ફંડ એકત્રિત કરાયું
સુરતનો કિન્નર સમાજ ફરી મદદે આવ્યો
પંચમહાલના ધૈર્યરાજને SMA-1નામની દુર્લભ બીમારી છે
દુર્લભ બીમારીથી પીડિત ધૈર્યરાજસિંહ માટે સુરતમાં ફંડ અકત્રિત કરવામાં આવ્યું છે. સુરતનો કિન્નર સમાજ ફરી એકવાર મદદે આવ્યો છે. ઉધના દરવાજા પાસે કિન્નર સમાજ સિગ્નલ પાસે ઉભા રહી ફંડ ઉઘરાવે છે. પંચમહાલના ધૈર્યરાજને SMA-1નામની દુર્લભ બીમારી છે. અને તેની સારવાર માટે ધૈર્યરાજસિંહને ઇન્જેક્શન માટે મોટી રકમની જરૂરિયાત છે.
સુરતમાં કિન્નર સમાજે પણ ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું
ધૈર્યરાજસિંહ એક ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. તેને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ અગાઉ પણ મદદ કરી ચૂક્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. જેમા તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી હતી.
અત્યાર સુધી 45 ટકા રકમ થઈ એકઠી
ધૈર્યરાજસિંહની મદદ માટે ઓનલાઈન ડોનેશનમાં પણ મોટી રકમ પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા 20 દિવસમાં કુલ રકમના 45 ટકા દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ધૈર્યરાજની જીંદગી બચાવવા માટે ઓનલાઈનથી 2 લાખ 16 હજાર જેટલા લોકોએ પોતાનું ડોનેશન આપ્યું છે. જો કે, ધૈર્યરાજ માટે હજુ પણ કુલ રકમનો મોટો હિસ્સો જોડવાનો બાકી છે. જેમાં આશરે 7 કરોડ 25 લાખ જેવી રકમ એકઠી કરવાની છે.
ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237
IFSC CODE : YESB0CMSNOC
NAME : DHAIRYARAJSINH RATHOD
એક સામાન્ય પરિવાર માટે 16 કરોડનું ઈન્જેક્શન કેવી રીતે શક્ય બને
4 મહિનાના ધૈર્યરાજને મદદની જરૂર છે. આ વાતની જાણ ગામડા-ગામ સુધી પહોંચી ગઈ છે. SMA-1 નામની બીમારી લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે. તો સામાન્ય પરિવારના કોઈ બાળકની આ બીમારી દૂર કરવા માટે 16 કરોડ જેવી મોટી રકમ લાવવી એ અકલ્પનિય છે. જેના માટે સહિયારો સાથ હોવો જરૂરી છે.
ધૈર્યરાજના પરિવારજનો મદદ માટે VTV દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલથી પ્રેરાઇને થલતેજમાં વસતા પટેલ પરિવારે ધૈર્યરાજના જીવન માટે દાન કર્યુ છે. કેમ કે થલતેજમાં વસતા સુનિલ પટેલના 24 વર્ષના એકના એક પુત્ર નિશીતનું તાજેતરમાં અવસાન થયું છે.