દેશનાં વડાપ્રધાન છેલ્લાં 15 દિવસમાં આજ રોજ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે આજે ડાયમંડ નગરી ગણાતી સુરત નગરીમાં PM મોદીનું આગમન થતાં રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત પક્ષનાં દિગ્ગજ નેતાઓએ તેઓનું સ્વાગત કર્યું હતું.
દાંડી સ્મારકનું લોકાર્પણઃ
પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી. જેમાં નવસારી ખાતે 110 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ દાંડી સત્યાગ્રહ સ્મારકનું પણ લોકાર્પણ કર્યું. કે જેનું નામ છે "રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક". પીએમ મોદીએ દાંડીની સેફી વીલાની પણ મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત મહત્વનું છે કે પીએમ મોદીએ સુરતમાં આકાર પામનારા નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિગનું ખાતમુહૂર્ત કર્યું હતું તથા સુરત-શારજાહ ઈન્ટરનેશનલ ફ્લાઈટને ફ્લેગઓફ પણ આપ્યું હતું. આ સાથે એક દિવસીય મુલાકાતે સુરત પહોંચેલા પીએમ મોદીએ મનપાનાં 1 હજાર કરોડનાં પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. જેમાં સુરતની જનતા માટે બનાવાયેલ 3 બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું.
જાણો દાંડી સત્યાગ્રહ સ્મારકની શું છે વિશેષતા?
- 110 કરોડનાં ખર્ચે સ્મારક કરાયું તૈયાર
- 15 એકર જમીનમાં તૈયાર કરાયું આ સ્મારક
- ગાંધીજીની 18 ફૂટ ઉંચી પ્રતિમા પણ તૈયાર કરાઇ
- 6 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ પણ બનાવાયું
- 4 લાખ લીટર પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો પણ સમાવેશ
- સોલાર મેકિંગ બિલ્ડીંગમાં ખારા પાણી સાથે 14 સોલ્ટ મેકિંગ પેન
- પાણીનાં બાષ્પીકરણ બાદ પેનમાં બનશે મીઠું
Gujarat: Prime Minister Narendra Modi dedicates National Salt Satyagraha Memorial in Dandi to the nation. pic.twitter.com/YSGFnpyI1a
વિનસ હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટનઃ
સુરત ખાતે આકાર પામેલી વિનસ હોસ્પિટલનું ઉદ્યાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતુ. આ સાથે જ તેમણે સમગ્ર હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. વિનસ હોસ્પિટલના ઉદ્ધાટન બાદ PM મોદીએ એક સભાને સંબોધન પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સુરતમાં જનસાભાને સંબોધન કરતા કહ્યું હતું કે "સુરત કર્મયોગી શહેર છે. મીઠાંનાં સત્યાગ્રહ સાથે સુરતનો સબંધ રહેલો છે. સફાઈ સહિતના કામ સાથે સંકળાયેલ કેસરિયા ગેંગને મોદી એ યાદ કરી હતી. આ સાથે જ સુરતે ગાંધીજીના મુલ્યને હંમેશા સન્માન આપ્યું હોવાની પણ વાત કરી હતી. ભવિષ્યમાં ટોપ 10 શહેરોમાં સુરત નંબર વન પર હશે તેવી વાત પણ દેશનાં વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં ઉચ્ચારી હતી."