ગુજરાત સરકરે બિનખેતી આકારના મહેસુલી કાનૂન ને અભેરાઈએ ચડાવી ને મીઠાઉદ્યોગકાર પાસે થી તેમને ફાળવેલી જમીન ઉપર બિનખેતી આકાર વસૂલવાનો પરિપત્ર જાહેર કરતા મીઠાઉદ્યોગકારો માં રોષ ની લાગણી પેદા થઈ છે
ભાવનગરમાં મીઠુ પકાવતી જમીન પર કર નાખવાનો મામલો
સરકારે જમીન પર બિનખેતી કર નાખવાનો પ્રસ્તાવ રજૂ કરતા ઉદ્યોગકારોમાં રોષ
જમીન બિન ખેતી ન હોવા છતા કર લગાવાતા રોષ
ગુજરાત સરકરે બિનખેતી આકારના મહેસુલી કાનૂનને અભેરાઈએ ચડાવીને મીઠાઉદ્યોગકાર પાસેથી તેમને ફાળવેલી જમીન ઉપર બિનખેતી આકાર વસૂલવાનો પરિપત્ર જાહેર કરતા મીઠાઉદ્યોગકારોમાં રોષ ની લાગણી પેદા થઈ છે. આ ઉપરાંત આ પ્રકરણ ફાઈલના થાય ત્યાં સુધી મીઠા ઉદ્યોગકારોને લીઝ પટ્ટા ઉપર ફાળવેલી જમીનના લીઝ પટ્ટાની રીન્યુ અંગે અંગે કાર્યવાહી નહીં કરવાની પણ સરકારે જાહેરાત કરી છે જેની સામે ગુજરાતના મીઠાઉદ્યોગકારો હવે બાયો ચડાવશે તેમ મનાઈ રહ્યું છે
ભારતના કુલ મીઠાના ઉત્પાદનમાં 72 ટકા મીઠું એકલા ગુજરાતમાં જ પાકે છે
ગુજરાત સરકારના નિર્ણયથી ઉદ્યોગકારોમાં રોષની લાગણી જોવા મળી છે સરકારે ક્ષારની જમીનને બિન ખેતી કરતા હવે મીઠાના ઉદ્યોગકારોએ સરકર સામે બાયો ચડાવવાની પણ જાહેરાત કરી છે ભારતના કુલ મીઠાના ઉત્પાદનમાં 72 ટકા મીઠું એકલા ગુજરાતમાં જ પાકે છે ગુજરાતમાં કુલ 491 જેટલા મીઠાના ઉંઘ્યોગ આવેલા છે આ મીઠાના ઉદ્યોગકારો સરકાર ને દર વર્ષે 18 કરોડ જેવી રોયલ્ટી પણ ચૂકવે છે.
મીઠાં ઉદ્યોગકારો લીઝ પટ્ટા વળી જમીન ઉપર પંચાયતી શેષ
મીઠાના ઉદ્યોગકારો રોયલ્ટી અને શેષ ની આવક ચુકવતા હોવા છતાં આ પ્રકારની નિર્ણય સરકાર તાજેતરમાં કરવા જય રહી છે જાણકારો નું કહેવું છે કે મીઠાં ઉદ્યોગકારો લીઝ પટ્ટા વળી જમીન ઉપર પંચાયતી શેષ વગેરે વસૂલતું હોઈ તો તેની ઉપર બિન ખેતી આકર તેની ઉપર લડી શકાય નહીં જનકરોનું એમ પણ માનવું છે કે બિનખેતીનો કાનૂન જો સરકર લાગુ કરશે તો અનેક મીઠાના ઉદ્યોગો બંધ થઈ જશે તે નક્કી છે જાણકારો એમ પણ કહે છે કે આ રામાયણ ખેતીની છે જે નહીં ત્યારે બિનખેતી કેવી રીતે કરી શકાય
મીઠાના ઉદ્યોગની ઝરમર
ભારતમાં દર વર્ષે 135 લાખ ટન મીઠા નું ઉત્પાદન થયા છે