આપણી જિંદગીમાં સતત બદલાવ આવતો રહે છે જેમાંથી કેટલાક સકારાત્મક હોય છે તો કેટલાક નકારાત્મક. સકારાત્મક બદલાવથી જીવમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે જ્યારે નકારાત્મકતાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે જેમાં મીઠાંના પણ ઉપાયો છે. જાણો મીઠાંના આવા જ કેટલાક ઉપાયો વિશે...
- ઘરમાં પરિવારના સભ્યોની વચ્ચે પ્રેમ અને શાંતિ રાખવા માટે ઘરના રૂમમાં સિંધવ અથવા તો મીઠાંનો એક ટુકડો જરૂરથી રાખવો જોઇએ.
- જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ધનની કમી ના આવે તો કાચના એક ગ્લાસમાં મીઠું અને પાણી મિક્સ કરીને ઘરના નૈઋત્ય ખૂણામાં રાખી દો. દર અઠવાડિયા મીઠા અને પાણીને બદલતા રહો.
- જો તમારા ઘરમાં કોઇ વાસ્તુ દોષ છે તો તેણે દબર કરવા માટે પાણીની ડોલમાં મીઠું નાખીને પોતાં કરો. આ સિવાય બાથરૂમમાં મીઠાંનો ટુકડો મૂકીને વાસ્તુદોષ દૂર કરી શકાશે.
- જો ઘરમાં કોઇ સભ્યને ગંભીર બિમારી છે તો આ સમસ્યાને દૂર કરવા માટે મીઠાનો ઉપાય કરો. બિમાર વ્યકિતને માથાની પાસે એક કાચના વાસણમાં મીઠું રાખો જેની મદદથી ધીમેધીમે સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
- જો શનિના સાડાસાતી ચાલતી હોય તો ભોજનમાં ભૂલથી પણ ઉપરથી મીઠું ના નાખતાં શનિના પ્રકોપથી બચવા માટે સિંધવ મીઠાંનું દાન કરવું જોઇએ.