નસીબ બદલવામાં મીઠા સાથે સંબંધિત જ્યોતિષીય ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ધનલાભ અને ભાગ્યને મજબૂત કરવા માટે મીઠાના ઉપાયો અસરકારક છે. ચાલો જાણીએ તેના વિશે...
નસીબ બદલવા માટે અપનાવો મીઠાના આ ઉપાય
ચપટી મીઠુ બદલી શકે છે તમારી કિસ્મત
જાણો તેનાથી શું થશે ફાયદા
ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ દરેક વ્યક્તિને અસર કરે છે. જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ ગ્રહોને શાંત અને મજબૂત કરવા માટે કરવામાં આવે છે. મીઠું ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ તેની સાથે જોડાયેલા જ્યોતિષીય ઉપાયો પણ વિશેષ લાભ આપે છે.
એક ચપટી મીઠું ભાગ્ય બદલવામાં ખૂબ જ અસરકારક છે. સંપત્તિ અને નસીબને મજબૂત કરવા માટે મીઠાના ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો જાણીએ મીઠાને લગતા કેટલાક ખાસ ઉપાયો વિશે.
નકારાત્મક ઉર્જા દૂર કરે છે મીઠું
મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે. આ માટે ઘર સાફ કરતી વખતે પાણીમાં એક ચપટી મીઠું નાખો. અઠવાડિયામાં બે વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. કહેવાય છે કે ઘરમાં મીઠાથી પોતુ કરવાથી ઝડપથી ધન પ્રાપ્ત થાય છે.
જો તમારે પ્રગતિ જોઈતી હોય તો ઘરને મીઠાથી ચોક્કસ સાફ કરો. બાથરૂમમાં મીઠાથી ભરેલો કાચનો કપ રાખવાથી સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે અને ખરાબ શક્તિઓ દૂર થાય છે.
મીઠાંના આ ઉપાયોથી થાય છે પ્રગતિ
તંત્ર શાસ્ત્રમાં મીઠાના આ ઉપાયો પ્રગતિ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે કાચના કપમાં મીઠું ભરીને તેમાં 4-5 લવિંગ નાખો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધન પ્રાપ્તી થાય છે. બાળકોને અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી સ્નાન કરાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તે બાળકોને ખરાબ નજરથી બચાવે છે.
કલેશ દૂર કરે છે મીઠું
જો પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય કે ઘરમાં તણાવ રહેતો હોય તો મીઠાના આ ઉપાય અજમાવી જુઓ. કાચના બાઉલ અથવા ગ્લાસમાં સેધાલુણ નાખો અને તેને તમારા બેડરૂમમાં રાખો. રૂમમાંથી નકારાત્મક ઉર્જા ખતમ થશે અને ઘરની પરિસ્થિતિ સુધરશે.