જો તમે પણ કાચી ડુંગળી ખાવાના શોખીન છો અને સલાડમાં કાકડી, ટામેટાની સાથે ડુંગળી પણ ખાઓ છો તો સાવધાન થઈ જાઓ. હકીકતે અમેરિકામાં હાલના દિવસોમાં Salmonellaના કીટાણુથી થતા રોગોનો ખતરો વધી ગયો છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ (CDC)એ તેના માટે કાચી ડુંગળીમાં મળી આવતા Salmonellaને જવાબદાર ગણાવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાલ, સફેદ અને પાળી રંગની ડુંગળી આ પ્રકોપ માટે જવાબદાર છે. આવો જાણીએ આખરે શું છે Salmonella, તેના લક્ષણ, બચાવ અને ઉપાય.
શું છે સાલ્મોનેલા? (What is Salmonella)
Salmonella બેક્ટેરિયાનું એક નામ છે. જે તમારા આંતરડાને પ્રભાવિત કરે છે. તે એક પ્રકારના બેક્ટેરિયા છે. જે ભોજનથી જોડાયેલી બિમારીઓનું કારણ બની શકે છે. આ બેક્ટેરિયાથી દૂષિત ખાદ્ય પદાર્થ ખાવાથી વ્યક્તિના આંતરડા ખરાબ રીતે પ્રભાવિત કરે છે. જેનાથી પેટ સાથે સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે બેક્ટેરીયાના કારણે થતી બિમારીઓને સાલ્મોનેલોસિસ કહેવામાં આવે છે.
કઈ રીતે ફેલાય છે Salmonella સંક્રમણ?
Salmonella બેક્ટેરીયાનું સંક્રમણ સામાન્ય રીતે સંક્રમિત જાનવરોથી બીજા જાનવરોમાં ફેલાય છે. વાત જો મનુષ્યોની કરવામાં આવે તો તેમાં કાચા માંસ, ઈંડા અથવા તેનાથી બનેલી વસ્તુઓ, બીફ અથવા તેનાથી બનેલી વસ્તુઓથી ફેલાય છે. નાના બાળકો અને વૃદ્ધોથી લઈને આ બેક્ટેરિયાથી વધારે ખતરો રહે છે. મનુષ્ય સેલ્મોનેલાથી દૂષિત એટલે કે ભોજન લેવા પર પણ આ બેક્ટેરિયાથી સંક્રમિત થઈ શકે છે.
નિષ્ણાંતો અનુસાર, વોશરૂમનો ઉપયોગ કર્યા બાદ અથવા બેબી ડાયપર બદલ્યા બાદ સારી રીતે હાથ ન ધોવાના કારણે પણ સાલ્મોનેલા સંક્રમણ ફેલાઈ શકે છે. અનપોશ્ચુરાઈઝ્ડ દૂધ અને ડેરી પ્રોડક્ટ ઉપરાંત સોફ્ટ વસ્તુઓ, આઈસ્ક્રીમ અને છાસ પણ સેલ્મોનેલાનું કારણી બની શકે છે.
Salmonella બેક્ટેરીયાના લક્ષણ
Salmonella બેક્ટેરીયાના લક્ષણ અમુક કલાકો અથવા તો 2થી 3 દિવસની અંદર જોવા મળે છે. તેમાં વ્યક્તિને પેટમાં દુઃખાવો, ઉલ્ટી, દસ્ત, તાવ, ઠંડી લાગવી, માથામાં દુઃખાવો, મળમાં લોહી પડવું વગેરે જેવા લક્ષણો સામેલ છે.
Salmonella બેક્ટેરિયાના સાઈડઈફેક્ટ્સ
ટાઈફોઈડ Salmonella બેક્ટેરીયાથી ફેલાતી ભયાનક બિમારી છે. જો આ બેક્ટેરીયા બ્લડ સ્ટ્રીમમાં પહોંચી ગયા, તો નિશ્ચિત રીતે તે માથા અને કરોડરજ્જૂના હાડકા, હાર્ટ, બોર્ન, બોર્ન મેરો અને બ્લડ વેસેલ્સની લાઈનિંગને નુકસાન પહોંચાડી શકે છે. તે ઉપરાંત સલ્મોનેલામાં વ્યક્તિને ઘણા મહિનાઓ સુધી સાંધામાં દુખાવો પણ થઈ શકે છે.
Salmonella બેક્ટેરિયાની સારવાર
Salmonella બેક્ટેરિયામાં ઉલટી અને ડાયરિયાના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે. આજ કારણ છે કે આ ઈન્ફેક્શનથી પીડિત રોગીને ગ્લુકોઝ ચઢાવવાની સાથે તરળ પદાર્થ અને ઈલેક્ટ્રોલાઈચ આપવામાં આવે છે. આ ઉપરાંત જો Salmonella બેક્ટેરિયા વ્યક્તિના લોહીમાં પહોંચી જાય તો તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ કમજોર કરી દે છે. જેના બચાવ માટે ડોક્ટર રોગીને એન્ટીબાયોટિક દવાઓ આપે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોનું સેવન કર્યા પહેલા જો તેમને સારી રીતે ધોઈ લેવામાં આવે તો આ પ્રકારના સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે.