કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે મોબ લિ્ંચિગ પર મોટુ નિવેદન આપ્યું છે. સલમાન ખુર્શીદે કહ્યું છે કે દિલ્હીમાં 'ભીડની હિંસા' થી ડર જેવો કોઇ માહોલ નથી. એમણે કહ્યું છે કે દિલ્હીમાં અમે રહીએ છીએ. અહીં કામ કરીએ છીએ પરંતુ એમને નથી લાગતું કે અહીં લોકોને 'મોબ લિન્ચિંગ'થી ડરવાની સ્થિતિ હોય. જોકે એમને નાના શહેરોમાં અને ગામડાઓમાં 'ભીડની હિંસા'નો ડર હોવાની વાત કહી છે.
આપને જણાવીએ કે 20 જૂનને ઝારખંડની ધતકીડીહ ગામમાં તબરેજ અંસારી નામના એક મુસ્લિમ યુવકની ભીડની હિંસાનો શિકાર થયો હતો. ચોરીની શંકા પર લોકોએ તેને પકડીને ખરાબ રીતે માર માર્યો. તેને 'જય શ્રી રામ' બોલવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. બાદમાં ગંભીર રૂપે ઘાયલ તબરેજને હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
મોબ લિન્ચિંગ પર ખુર્શીદનું નિવેદન
ભીડની ઘટનાઓ પર વરિષ્ઠ કોંગ્રસ નેતા સલમાન ખુર્શીદનું કહેવું છે કે 'મને લાગે છે કે દિલ્હીએ વિસ્તારમાં ડરનો કોઇ માહોલ નથી, જ્યાં હમે રહીએ છીએ અથવા કામ કરીએ છીએ, પરંતુ નાના શહેરો અને ગામમાં તેનો ડર જરૂર છે. એ ભારતીયોની જવાબદારી છે કે તેનો ડર ખતમ કરે.
તબરેજ અંસારી મોબ લિન્ચિંગ કાંડની આખા દેશમાં નિંદા કરવામાં આવી હતી. તેને લઇને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર મોટું નિશાન સાધ્યું હતું.