સલમાન ખાનને સાપે ડંખ માર્યો આ અહેવાલ જેવા સોશિયલ મીડિયામાં ફેલાયા તેવા જ તેમના પ્રશંસકોની ચિંતા વધી ગઇ છે. દરેક ચાહક જાણવા માંગે છે કે હવે અભિનેતા કેવા છે. સલમાન ખાનના જન્મ દિવસના એક દિવસ પહેલાં આ પ્રકારની ઘટનાથી ઘણાં લોકો ગભરાઈ ગયા છે.
એટલું જ નહીં, સાપે ડંખ માર્યો જેના કારણે સલમાન ખાને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ. પરંતુ હવે તેઓ કેવા છે, તે તેમણે જાતે નિવેદન આપ્યું છે. સાપે ડંખ માર્યા બાદ અભિનેતા જાતે સામે આવ્યાં ત્યારે તેમણે પોતાની આપવીતી જણાવી. સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે એક સાપ ફાર્મ હાઉસની અંદર ઘુસી ગયો હતો. મેં લાકડીના સહારે તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એટલામાં સાપ મારી પર ચઢી ગયો. એવામાં જ્યારે હું સાપને બહાર છોડવા માટે બીજા હાથમાં લીધો તો તેણે મને ત્રણ વખત ડંખ માર્યા. આ એક પ્રકારનો ઝેરીલો સાપ હતો. હું 6 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. હવે મને સારું છે.
A snake had entered my farmhouse, I took it outside using a stick. Gradually it reached onto my hand. I then grabbed it to release, which is when it bit me thrice. It was a kind of poisonous snake. I was hospitalized for 6 hours...I am fine now: Actor Salman Khan on snake bite pic.twitter.com/cnDnUhglm5
આ અગાઉ સલમાનના પિતા સલીમ ખાને ચાહકોને સાંત્વના આપવા માટે નિવેદન આપ્યું. એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાના ચાહકોને આશ્વાસન આપ્યું કે અભિનેતાને હવે સારુ છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, સલમાનને હવે સારું છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. આ બધુ સવારે અચાનક થયુ હતુ. પરંતુ તેને હવે સારું છે. આ સાપ ઝેરીલો ન હતો અને આ જીવ જંગલની આજુબાજુમાં જોવા મળે તે સામાન્ય વાત છે. ડૉકટરોએ અમુક દવાઓ લખી છે. પરંતુ હવે તેમને સારું છે.