વડોદરામાં લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા આવેલા એક્ટર આયુષ્ય શર્માનો વિરોધ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે નવરાત્રી પરથી લવરાત્રી ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે.
ફિલ્મમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે ફીલ્મના પ્રમોશનનો વિરોધ કરવામ આવ્યો. ફિલ્મનું પ્રમોશન કરવા આવેલા એક્ટર આયુષ્ય શર્માનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો. લવરાત્રી ફિલ્મમાં આયુષ્ય શર્મા લીડ રોલમાં છે.
આપને જણાવી દઇએ કે ગુજરાતનાં ગરબા અને નવરાત્રીનાં બેક ગ્રાઉન્ડમાં અભિનેતા સલમાનખાન દ્વારા નિર્માણ પામેલ લવરાત્રી ફિલ્મનાં પ્રમોશન માટે વડોદરા ખાતે આજરોજ યોજાયું હતું.
જેના ભાગરૂપે વડોદરા આવેલ સલમાનખાનનાં બનેવી આયુષ શર્મા સહિત ફિલ્મનાં કલાકારોનો શિવસેના કરણી સેના તેમજ અન્ય હિંદુ યુવા સંગઠન સહિતનાં હિંદુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાનાં એરપોર્ટ ખાતે કાળા વાવટાઓ બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફિલ્મસ્ટાર આયુષ શર્મા અને અભિનેત્રી વરીના હુસેન મોડી સાંજે વડોદરા એરપોર્ટ આવી પહોચ્યાં હતાં. ત્યાર બાદ તેઓએ ટુ વ્હિલર પર સવારી કરીને વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે જવાનાં હતાં. પરંતુ તેઓનો એરપોર્ટ પર જ કાળા વાવટાં ફરકાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.