પુલવામામાં થયેલા આંતકી હુમલાની સીધી અસર બોલિવૂડ પર પડી છે. મ્યૂઝિક કંપની ટી-સીરિઝ પાકિસ્તાની ગાયક આતિફ અસ્લન અને રાહત ફતેહઅલી ખાનના ગીતોને દૂર કરી દીધા છે. બીજી તરફ સુપરસ્ટાર સલમાન ખાને પોતાની ફિલ્મમાંથી આતિફનું ગીત દૂર કરવાનો નિર્ણય લીધો છે. એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર સલમાન ખાને પોતાની ફિલ્મ 'નોટબુક'માંથી કલાકાર આતિફ અસ્લમનું ગીત દૂર કરી નાખ્યુ છે.
સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં તૈયાર થતી ફિલ્મમાંથી આતિફ અસ્લમનું ગીત દૂર કરવામાં આવ્યુ છે. ત્યાર પછી હવે આ ગીતનું ફરી કોઇ ગાયક રેકોર્ડિંગ કરશે. સલમાન ખાન આ ફિલ્મથી મોહનીશ બહલની દિકરી પ્રનૂતન અને જહીર ઇકબાલને લોન્ચ કરશે. આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થવાની છે. સલમાન ખાને પુલવામામાં શહીદ થયેલા પરિવારોની આર્થિક મદદ પણ કરી છે. આ કેન્દ્રીય ગૃહમંત્રી કિરણ રિજ્જૂએ સલમાન ખાનનો આભાર માન્યો હતો.
પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ સિને વર્કર્સ એસો.ને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો તથા અભિનેતાઓ પર પ્રતિબંધની જાહેરાત કરી લીધી છે. જો કોઈ સંગઠન આ કલાકારોને કામ આપશે એસો. એમના ઉપર પણ પ્રતિબંધ મૂકી દેશે. આ પહેલા ઉરી હુમલા પહેલા પણ પાકિસ્તાની કલાકરો પર પ્રતિંબધ મૂકી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને પાકિસ્તાની ગાયકોએ અનેક ફિલ્મોમાં કંઠ આપ્યો છે.
સલમાન ખાનની ફિલ્મ ભારત આ વર્ષે ઈદના દિવસ રિલીઝ થવાની છે. પાકિસ્તાન સુચના પ્રસારણ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થશે. આ સિવાય અજય દેવગનની ફિલ્મ 'ટોટલ ધમાલ' પણ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય. અજય દેવગણે પણ પોસ્ટ કર્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ટોટલ ધમાલની ટીમે પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ કરવાનો ઇન્કાર કર્યો છે. આ સિવાય ફિલ્મની ટીમે પુલવામા શહીદોને 50 લાખ રૂપિયા મદદ કરવાનો પણ નિર્ણય લીધો છે.