સુશાંતસિંહ રાજપૂતનાં નિધનથી, બી-ટાઉન સાથે સંકળાયેલા ઘણા કલાકારો હવે આગળ આવી રહ્યા છે અને તેમના અનુભવો શૅર કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલાને ઉકેલવામાં મુંબઈ પોલીસ સામેલ છે અને અત્યાર સુધીમાં કુલ 9 લોકોના નિવેદનો નોંધાયા છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા અભિનવ કશ્યપે પણ સુશાંતસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમનો અનુભવ શેર કર્યો હતો. અભિનવ કશ્યપે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી જેમાં સલમાન ખાન અને તેના પરિવારજનોએ તેમની કારકિર્દી ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે અરબાઝ ખાન અને સલીમ ખાને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
સલીમ ખાને આપી પ્રતિક્રિયા
આરોપોને ગણાવ્યા ખોટા
અભિનવ કશ્યપે આ પોસ્ટમાં લખ્યું છે કે તેઓ ઈચ્છે છે કે સુશાંતસિંહ રાજપૂતની મોત પાછળના બધા રહસ્યો સ્પષ્ટ રીતે બહાર આવે અને પોલીસે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે YRF જેવી ટેલેન્ટ એજન્સીએ સુશાંતને આવું પગલું ભરવાની ફરજ પાડી છે. અભિનવે સોહેલ ખાન અને અરબાઝ ખાન પર તેની કારકિર્દી બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
ટાઇમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતાં સલીમ ખાને અભિનવ કશ્યપ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે, હા, આપણે બધુ ખોટું કર્યું છે ... તમે પહેલા તેની ફિલ્મો જુઓ અને પછી આપણે વાત કરીશું. તેઓએ તેમના નિવેદનમાં મારા નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કદાચ મારા પિતાનું નામ નથી જાણતા. તેનું નામ રાશિદ ખાન હતું. તેમને કહો કે મારા દાદા અને મોટા દાદાના નામ પણ ફરિયાદમાં સામેલ કરી દો. તેમને જે કરવુ હોય તે કરી લે, પરંતુ તેઓએ જે કહ્યું તેના પર પ્રતિક્રિયા આપીને અમારો સમય બગાડીશું નહીં.
આ સાથે જ એક ઇન્ટરવ્યુમાં અરબાઝ ખાને કહ્યું છે કે, 'અમે તેમની પોસ્ટ પહેલા જ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લીધી છે. આ તેમની અગાઉની પોસ્ટ પછી કરવામાં આવ્યું હતું. અમે દબંગ 2 પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી… ત્યારથી જ અભિનવ સાથેની વાતચીત બંધ હતી. અમે વ્યવસાયિક રૂપે છૂટા પડી ગયા હતા. ખબર નથી આ વસ્તુઓ ક્યાંથી આવી રહી છે. અમે કાનૂની કાર્યવાહી કરીશું.