બોટાદના સાળંગપુર ખાતે આવેલા હનુમાનજી (કષ્ટભંજન દેવ) ના મંદિરમાં આજે ભીમ અગિયારસ અને શનિવાર નિમિત્તે દાદાને ભવ્ય શણગાર કરાયો છે. દાદાના સિંહાસનનો વિવિધ ફૂલથી તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે પોલીસના બેનરોએ પણ દાદાના શણગારની શોભા વધારી છે. ગુજરાત પાલીસ અને બોટાદ પોલીસના બેનર લગાવવામાં આવ્યા.
Darshan: 11-06-2022
ભીમ અગિયારસ એવં શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર દર્શન
Shree KashtabhanjanDev Hanumanji Mandir Salangpurhttps://t.co/91U86Csxqf
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://t.co/zgOd7PtwOgpic.twitter.com/y7X7gJk404
— Shri Hanuman Temple - Salangpur (@kashtbhanjandev) June 11, 2022
દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
આજના પવિત્ર ભીમ અગિયારસના દિન નિમિત્તે કષ્ટભંજન દેવ (દાદા) ને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ અન્નકુટ ધરાવવામાં આવ્યો. આજે ભીમ અગિયારસ હોવાથી દાદાના દરબારમાં સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જામી છે. ભક્તોએ પણ દાદાના દર્શન માત્રથી ધન્યતાની લાગણી અનુભવી છે.
તમને જણાવી દઇએ કે, જયેષ્ઠ મહિનાની સુદ તિથિએ આવતી એકાદશીને નિર્જળા એકાદશી (Nirjala Ekadasi 2022) તરીકે હિંદુ ધર્મમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજ (11 જૂન) રોજ નિર્જળા એકાદશીની ઉજવણી કરવામાં આવશે. આ એકાદશીનું વ્રત ભીમે પણ કરેલું હોવાના કારણે આ એકાદશીને 'ભીમ અગિયારસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
Darshan: 11-06-2022
ભીમ અગિયારસ એવં શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર દર્શન
Shree KashtabhanjanDev Hanumanji Mandir Salangpurhttps://t.co/91U86CaW1F
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://t.co/zgOd7PL7FOpic.twitter.com/JMAxdcORN8
— Shri Hanuman Temple - Salangpur (@kashtbhanjandev) June 11, 2022
જાણો શું છે તેની કથા?
વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું એ સમયે ભીમે કહ્યું હતું કે, વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકું. મારા પેટમાં બૃક નામનો અગ્નિ છે, તેથી હું ભુખ્યો નહીં રહી શકું. ત્યારે વેદવ્યાસજીએ માત્ર જ્યેષ્ઠ શુકલ એકાદશીએ નિર્જળા વ્રત કરવા જણાવ્યું. આથી ભીમે જયેષ્ઠ શુકલ એકાદશીના રોજ નિર્જળા ઉપવાસ કર્યો. જેથી આ એકાદશીને 'ભીમ અગિયારસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
24 એકાદશીથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય નિર્જળા એકાદશીથી મળે છે
એવું કહેવાય છે કે, હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ, આજના દિવસે કોઈ પણ ભક્ત અન્ન અને પાણીનો ત્યાગ કરીને જો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને 24 એકાદશીથી જે પુણ્ય મળે તેટલું પુણ્ય નિર્જળા એકાદશીથી મળે છે આવી હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ આજે નિર્જળા એકાદશીનો તહેવાર ઉજવવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત માતા કુંતા દ્વારા સમજાવવામાં આવતા 5 પાંડવો પૈકી ભીમે પણ કરેલું હતું. જેના કારણે નિર્જળા એકાદશીને 'ભીમ અગિયારસ' તરીકે પણ ઉજવવામાં આવે છે.