ઝારખંડમાં વિજળીની સમસ્યાને કારણે સાક્ષી ધોનીએ ટ્વીટ કરીને સરકારને કેટલાંક સવાલો પૂછ્યા છે. જુઓ તેનું આ ટ્વીટ
સાક્ષી ધોનીએ ઉઠાવ્યા સરકાર પર સવાલ
ઝારખંડમાં વિજળીની સમસ્યાથી પરેશાન લોકો
2019માં પણ આ બાબતે ઉઠાવી ચુકી છે સવાલ
સાક્ષી ધોનીએ ઉઠાવ્યા સરકાર પર સવાલ
પૂર્વોત્તર રાજ્ય ઝારખંડનાં લોકો વિજળી સંકટથી પરેશાન થઇ રહ્યા છે. હવે ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કપ્તાન એમએસ ધોનીની પત્ની સાક્ષીએ ઝારખંડમાં થઇ રહેલી વિજળીની તકલીફ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સાક્ષીએ ટ્વીટ કરીને સરકારને પૂછ્યું કે રાજ્યમાં આટલા વર્ષોથી આ સંકટ શા માટે છે.
સાક્ષી ધોનીએ ટ્વીટ કર્યું કે ઝારખંડનાં કરદાતાનાં રૂપમાં બસ હું એ જાણવા માંગુ છું કે આટલા વર્ષોથી ઝારખંડમાં વિજળી સંકટ શા માટે છે? અમે જવાબદારી સાથે એ સુનિશ્ચિત કરતા રહ્યા છીએ કે અમે ઉર્જાની બચત કરીએ.
As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy !
રાજ્યનાં લોકો સતત લોડ શેડિંગથી પરેશાન છે કેમકે રાજ્યનાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડીગ્રી સેલ્શિયસથી વધારે છે. હીટવેવએ પશ્ચિમ સિંહભુમ, કોડરમા અને ગિરીડીહ જીલ્લાઓને પોતાની લપેટમાં લઇ લીધા છે. જ્યારે તેના 28 એપ્રિલ સુધીમાં રાંચી, બોકારો. પૂર્વી સિંહભૂમ, ગઢવા, પલામૂ અને ચતરામાં ફેલાવાની સંભાવના છે.
પહેલા પણ વાત કરી હતી આ મુદ્દા પર
સાક્ષી ધોનીએ વર્ષ 2019માં પણ વિજળી સંકટને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે તેમણે ટ્વીટ કર્યું હતું કે રાંચીનાં લોકોને વારંવાર વિજળી કાપનો સામનો કરો પડે છે. દરરોજ ચારથી સાત કલાક માટે કાપ મુકવામાં આવે છે. આજે એટલે કે 19 સપ્ટેમ્બર 2019નાં રોજ ગયા પાંચ કલાકથી વિજળી નથી. આજે આ પાછળનું કારણ સમજાતું નથી કેમકે વાતાવરણ બરાબર છે અને આજે કોઈ તહેવાર પણ નથી. મને આશા છે કે આ સમસ્યાનું સંબંધિત અધિકારીઓ દ્વારા સમાધાન મળશે.
રાજ્યમાં દિવસે પણ લોડ શેડિંગ થઇ રહ્યું છે, જ્યારે પિક આવરમાં તકલીફ વધારે પડે છે. હાલમાં ગરમીને કારણે રાજ્યની ડિમાંડ 2500 મેગાવોટથી વધારે છે. આ માટે આ માટે, સમગ્ર જવાબદારી ટીવીએનએલના બે એકમો પર છે, જે હાલમાં લગભગ 350 મેગાવોટનું ઉત્પાદન કરી રહ્યા છે. 23 એપ્રિલનાં રોજ આધુનિક પાવર યુનિટમાં ઉત્પાદન પ્રભાવિત થવાને કારણે આ સંકટ વધી ગયો છે.
બીજી તરફ પાવર પ્લાન્ટમાં કોલસાનો પુરવઠો ઓછો હોવાને કારણે ઉર્જા સંકટનો ભય છે. આ બાબતે કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિજળીની આ વધતી માંગણીથી નીપટવા માટે સોમવારે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની રણનીતિઓ પર ચર્ચા કરી.