રાજકોટના પોલીસ કમિશ્નર સામે તોડકાંડના આક્ષેપ કેસ ગાંધીનગરના DGP વિકાસ સહાયને સોંપાઈ છે. ત્યારે આ અંગે સખીયા બંધુએ પુરાવા રજૂ કર્યા હતાં.
રાજકોટમાં પોલીસ કમિશ્નર સામે તોડકાંડના આક્ષેપનો મામલો
સખીયા બંધુએ DGP વિકાસ સહાય સમક્ષ રજૂ કર્યા પુરાવાઓ
PSI એમ.એમ.ઝાલા દ્વારા નાણાં અપાયાનો ધડાકો
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તેને લઈને તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ તપાસ પણ DGP વિકાસ સહાય દ્વારા કરવામાં આવી રહી છે. તોડકાંડના આક્ષેપોમાં રોજે રોજ નવા વળાંક આવતાં હોય તેવું લાગી રહ્યું છે. જોકે હાલ આ સમગ્ર મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તપાસ અધિકારી DGP વિકાસ સહાય સમક્ષ ફરિયાદી સખીયા બંધુએ પુરાવા રજૂ કર્યા છે.
પુરાવા રૂપે ચોંકાવનારી 2 વીડિયો ક્લિપ કરી રજૂ
સખીયા બંધુઓએ DGP વિકાસ સહાય સમક્ષ તોડકાંડના આક્ષેપના પુરાવા રૂપે ચોંકાવનારી 2 વીડિયો ક્લિપ રજૂ કરી આ સાથે 3 જી ફેબ્રુઆરીએ ક્રાઈમબ્રાંચમાં રૂા.4.45 લાખ નાણા પરત કર્યાનો વીડિયો ક્લિપના પુરાવા આપ્યાં આ સાથે તેઓએ ક્રાઇમબ્રાંચના PSI એમ.એમ.ઝાલા દ્વારા નાણાં અપાયાનો ધડાકો કર્યો હતો. આ સાથે પરત આપેલા નાણાંની પાવન ન આપી હોવાનો દાવો પણ કર્યો હતો.
આજ સાંજ સુધીમાં રિપોર્ટ સોંપાય જાય તેવી શકયતા
ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થતાંની સાથે જ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપના તપાસ ધમધમાટ પુનઃ શરૂ થયો હતો. અને ગત રોજ વિકાસ સહાયે આ કેસના ફરિયાદી સખીયા બંધુને ગાંધીનગરનું તેડું મોકલ્યું હતું. જેમાં ફરિયાદી સખિયા બંધુઓ પુરાવા રજૂ કરીને નિવેદન આપ્યાં હતાં. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે ગોવિંદ પટેલના લેટર બોમ્બ પછી ગૃહ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમા DGP વિકાસ સહાયે તપાસ હાથ ધરી હતી અને ગાંધીનગર તેમજ રાજકોટથી નિવેદનો લેવાયા હતા.