મન કી આવાઝ- પ્રતિજ્ઞાનો બીજો પાર્ટ એટલે કે પ્રતિજ્ઞા-2 જલ્દી જ ટીવી પર આવી રહી છે.
પ્રતિજ્ઞા-2નો બીજો પાર્ટ આવશે
સજ્જન સિંહ રોમાન્ટિક દેખાશે
પ્રતિજ્ઞામાં ત્રીજી પેઢી બતાવશે
સિરીયલના પાત્રોએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી હતી જેમાં સજ્જન સિંહનુ પાત્ર બધા જ લોકોને ખુબ પસંદ આવ્યુ હતુ. સજ્જન સિંહનો રોલ કરનાર શ્યામને આ શોથી અલગ જ ઓળખાણ મળી હતી. હવે તો બીજા પાર્ટમાં સજ્જન સિંહનો વધુ દમદાર રોલ જોવા મળશે.
ટીવીની આ સિક્વલમાં ઠાકુર સજ્જન સિંહને તમે બીજા રૂપમાં જોઇ શકશો. આ વખતે શો સ્ટાર ભારત પર ટેલિકાસ્ટ થશે. ઓડીયન્સ માટે સૌથી મોટો ટ્વિટસ્ટ છે અને તેના માટે થોડી રાહ જોવી પડશે. કારણ કે આ શોમાં સજ્જનસિંહ પહેલા કરતા અલગ દેખાશે. ડાયલોગ્સ અને અંદાજ તો તેવા જ રહેશે પરંતુ તેમનો રોલ હવે કડક સજ્જન સિંહ નહી પરંતુ કૂલ અને ફેમિલીની કેર કરનારા વ્યક્તિનો હશે.
સ્પોટબોય સાથેની વાતચીતમાં સજ્જન સિંહનો રોલ પ્લે કરનાર અનુપમ શ્યામે કહ્યું કે, સજ્જન આ વખતે રોમાન્ટિક અંદાજમાં દેખાશે. પહેલા તે દબંગ હતો આ વખતે તેનો સંપૂર્ણ ફોકસ પોતાના બાળકો અને ફેમિલી પર રહેશે. કારણકે તેની ફેમીલીમાં બાળકોના પણ બાળકો હશએ. સજ્જન સિંહ તેની ઠકુરાઇન સાથે મસ્તી કરતો જોવા મળશે.
કેવી હતી પહેલી સિઝન
પહેલી સિઝનની શરૂઆત 2009માં થઇ હતી. તેમાં પૂજા ગોર, અરહાન બહલ અને અનુપમ શ્યામ લીડ રોલમાં હતા. ઘરે ઘરે જોવાતી આ સિરીયલમાં બધા જ પાત્રોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને તેમની ફેન ફોલોઇંગમાં પણ વધારો થયો હતો.