કાશ્મીરી નેતા સજ્જાદ ગની લોને જણાવ્યું કે જે સરકારે અમને જેલ મોકલ્યાં તે અમારી સાથે વાત કરી રહી છે. આ લોકશાહીની સુંદરતા છે.
જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફન્સના ચેરમેન સજ્જાદ લોને જણાવ્યું
જે સરકારે અમને જેલ મોકલ્યાં તે અમારી સાથે વાત કરી રહી છે
કાશ્મીરી નેતા સજ્જાદ ગની લોન પણ પ્રધાનમંત્રી મોદીની બેઠકમા હાજર હતા.
અમારા મનનો બળાપો પણ પીએમની સામે વ્યક્ત કર્યો-લોન
કાશ્મીરી નેતા સજ્જાદ ગની લોન પણ પ્રધાનમંત્રી મોદીની બેઠકમા હાજર હતા. તેમણે બેઠક અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. ગનીએ કહ્યું કે હવે જમ્મુ કાશ્મીરમા ચૂંટણી થવી જોઈએ પછી ભલેને સરકાર ગમે તેની બને. પીએમ સાથેની બેઠકમાં તમામ વાતો સકારાત્મક રીતે થઈ. અમારા મનનો બળાપો પણ પીએમની સામે વ્યક્ત કર્યો. પીએમ મોદીએ શાંતિથી અમારી વાત સાંભળી.
જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફન્સના ચેરમેન છે
ઉલ્લેખનીય છે કે સજ્જાદ લોન જમ્મુ કાશ્મીર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફન્સના ચેરમેન છે. લોને જણાવ્યું કે આ સરકારે અમને જેલમાં મોકલી દીધા. હવે અમે આર્ટિકલ 370 ની બહાલની માંગ કરી રહ્યાં છીએ. મામલો હાલમાં કોર્ટમાં છે. અમે અમારો દ્રષ્ટિકોણ પીએમ મોદી સામે રાખ્યો.
પાકિસ્તાન સાથેની વાતચીતના એક સવાલ પર તેમણે કહ્યું કે આ મારા વિચારમાં આવતો મુદ્દો નથી. આ વિદેશ મંત્રાલયનું કામ છે. મારો મુદ્દો સ્ટેટની બહાલીનો છે.
અમને ફરી વાર પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે-ઉમર અબ્દુલા
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ જણાવ્યું કે આર્ટિકલ 370 હટાવતા પહેલા પણ જમ્મુ કાશ્મીરના તમામ નેતાઓની સાથે આ પ્રકારની બેઠક થવી જોઈએ. બધાનો અભિપ્રાય જાણ્યા બાદ નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનો સ્વીકાર ન થઈ શકે પરંતુ તેના વિરોધમાં કાયદો હાથમાં લેવા માંગતા નથી. અમે પીએમની સામે અમારા મનની વાતો કરી છે. જમ્મુ કાશ્મીરને ફરી વાર પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી અહીંના લોકોની ઈચ્છા છે.