રામની નગરી અયોધ્યામાં વર્ષો પછી રામ મંદિરના નિર્માણ માટે થયેલા ભૂમિ પૂજનના એક દિવસ બાદ ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA)ના અધ્યક્ષ મહોમ્મદ સાજીદ રાશીદીએ મંદિરને તોડી નાખવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે રામ મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવશે.
સાજીદના કહેવા પ્રમાણે ત્યાં ક્યારેય મંદિર હતું જ નહીં અને ત્યાં બાબરી મસ્જિદ હતી અને રહેશે. સમાચાર એજન્સી ANIને સાજીદના આ નિવેદનને ટ્વીટ કર્યું છે. તેણે નિવેદનમાં કહ્યું છે કે ઇસ્લામ કહે છે કે એક મસ્જિદ હંમેશા એક મસ્જિદ જ રહે છે. કાંઈ બીજું બનાવવા માટે તેને તોડી શકાતી નથી. મંદિર બનાવવા માટે મસ્જિદને ધ્વસ્ત કરી નાખવામાં આવી હતી જયારે હવે મસ્જિદ બનાવવા માટે મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવશે.
Islam says a mosque will always be a mosque. It can't be broken to build something else. We believe it was, and always will be a mosque. Mosque wasn't built after demolishing temple but now maybe temple will be demolished to build mosque: Sajid Rashidi, Pres, All India Imam Assn pic.twitter.com/DzlbYQ3qdm
અયોધ્યાના રામ મંદિરના ભૂમિપૂજન પહેલા જ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ એક વિવાદિત ટ્વિટમાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવતા બોર્ડે કહ્યું કે આ નિર્ણય અન્યાયી, દમનકારી, શરમજનક છે. બહુમતી તુષ્ટિકરણના આધારે જમીન ફાળવવામાં આવી છે.
તે જ સમયે, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદ-ઉલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ બાબરી મસ્જિદ અને તેના ધ્વંસની તસવીરો શેર કરી અને કહ્યું - 'બાબરી મસ્જિદ હતી અને રહેશે. ઇશનાલ્લાહ.'
આ તરફ ભાજપના પ્રવક્તાએ આ મામલે સાજીદને રોકડું પરખાવ્યું છે. ભાજપના પ્રવક્તા અને CM યોગી આદિત્યનાથના સૂચના સલાહકાર શલભ મણિ ત્રિપાઠીએ પ્રતિક્રિયા આપી છે કે, "આ 500 વર્ષ જૂનું નહીં પણ મોદીજીનું નવું ભારત છે. UP, યોગી જી, CAA પ્રદર્શન, પોસ્ટર, સરકારી વસૂલી, આ બધું યાદ રાખજો. અહીંથી બચવા માટે સુપ્રીમ કોર્ટ દોડી ગયા હતા. જો તમને આવી જ ભાવના રાખશો તો તમે ટીવી સ્ક્રીનમાંથી બહાર નીકળી જશો અને UPના ચાર રસ્તાઓ ઉપર લાગેલા સરકારી પોસ્ટરોમાં આવી જશો.”
ये 500 साल पुराना भारत नहीं,मोदी जी का नया भारत है, UP,योगी जी, CAA प्रदर्शन,पोस्टर, कुर्की, सरकारी वसूली,ये सब याद है ना,वही जिससे बचने के लिए गुहार लगाते हुए सुप्रीम कोर्ट तक दौड़े थे,यही भावना रही तो TV स्क्रिन से निकल कर कभी भी UP के चौराहों पर सरकारी पोस्टरों में चिपक जाओगे। https://t.co/RnNn6ohjur