નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એક તરફ જ્યાં સાધુ-સંતોની ધીરજ ખૂટી રહી છે અને તેમણે મોદી સરકારને તાત્કાલીક આ મામલે આધ્યાદેશ લાવવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર રામ મંદિર પર હાલ સુધીમાં કોઇ ચર્ચા થઇ નથી.
રવિવારે દિલ્હીમાં ધર્માદેશ કાર્યક્રમના સમાપન સમયે દેશભરથી આવેલા સાધુ-સંતોએ રામ મંદિર નિર્માણ માટે પ્રસ્તાવ પાસ કર્યો જેમાં કહ્યું કે હવે રામ મંદિરના નિર્માણને લઇને કોઇ પ્રકારની ન તો સમજૂતી થશે અને ન તો કોઇ વાતચીત થશે
પરંતુ આ માટે સરકાર તાત્કાલીક આધ્યાદેશ લાવે અથવા તો કાયદો બનાવે. સંતોના આ નિર્ણય બાદ સત્તાધારી ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈનને એક ન્યૂઝ ચેનેલને કહ્યું કે રામ મંદિર મામલો છેલ્લા આઠ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં છે એટલા માટે દેશની જનતા ઇચ્છે છે કે આ મુદ્દે કાયદો બનાવવામાં આવે.