ગિરનાર સાધના આશ્રમના સ્થાપક સિદ્ધ સંત પુનિતમહારાજનું પરલોકગમન થયા બાદ આજે તેમના અંતિમસંસ્કાર આશ્રમ ખાતે કરવામાં આવ્યા હતા
ગત 8 માર્ચ 2022ના રોજ બ્રહ્મલીન થયા હતાં પુનિતમહારાજ
ગિરનારના સાધના આશ્રમના સ્થાપક હતાં પુનિતમહારાજ
અંતિમવિધિમાં મોટી સંખ્યામાં સંતો-મહંતોની ઉપસ્થિત રહ્યાં
સંતો મહંતો અને ભાવિકોની હાજરીમાં અંતિમવિદાય અપાઈ
ગિરનાર સાધના આશ્રમના સ્થાપક સિદ્ધ સંત પુનિતમહારાજનું પરલોકગમન થયા બાદ આજે તેમના અંતિમસંસ્કાર આશ્રમ ખાતે કરવામાં આવ્યા હતા જેમાં ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરીજી ઉપરાંત ઇન્દ્રભારતીબાપુ સહિત સંતો મહંતો અને ભાવિકોની હાજરીમાં અંતિમવિદાય આપવામાં આવી હતી બે દિવસથી આશ્રમ ખાતે સેવકગણની ભીડ જામી હતી અને દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં દેશભરમાંથી સેવકો ઉપસ્થિત રહ્યા હતા
*ગિરનાર ક્ષેત્રના સિદ્ધ સંત શ્રી પુનિતાચારીજી દત્ત શરણ પામ્યા.*
*૧૧ માર્ચ એ સવારે પંચ મહાભૂત માં થશે વિલીન*
*૧૨ મી માર્ચ ને શનિવારે ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢમાં સાંજે ૪ થી ૬ પ્રાર્થના સભા.*
*ગુરુદત્ત ભગવાનનો સાક્ષાત્કાર થયા પછી હરિઓમ તત્સત જય ગુરુદત્તનો મંત્ર વિશ્વમાં ગજાવ્યો. pic.twitter.com/C1gF07Mj1v
— Girnar Sadhana Ashram (@dattsahajyoga) March 9, 2022
સંત પુનિત આચાર્ય ગત 8 માર્ચ 2022ના રોજ બ્રહ્મલીન થયા હતાં.
જૂનાગઢના સંત પુનિત આચાર્ય(પુનિતાચારીજી) 8 માર્ચ 2022ના રોજ બ્રહ્મલીન થયા છે. મહંતના નિધનથી તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પુનિતાચારીજી મહારાજ જૂનાગઢમાં ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક હતા. તેઓ ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા હતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા