બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ બુધવારે થાઇલેન્ડ ઓપનમાં રમી શકે છે. બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(BAI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નહોતો. જે રિપોર્ટ બહાર આવ્યો તે ખોટો હતો. ખરેખર, અગાઉ એવું અહેવાલ મળ્યું હતું કે સાઇના નેહવાલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તેને ક્યુરેન્ટાઇન્ડ કરવામાં આવી છે. આને કારણે, તે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
સાયના નેહવાલને નથી કોરોના
આવતીકાલે રમી શકે છે મેચ
અઠવાડિયા પહેલા સાજી થઇ હતી સાયના
મળતી માહીતી અનુસાર સાયના નેહવાલ એક અઠવાડિયા પહેલા જ કોરોનાથી મુક્ત થઇ હતી. સાયના સિવાય અન્ય ભારતનો એક ખેલાડી પણ કોરોના પોઝીટીવ આવ્યો છે પરંતુ તેની ઓળખાણ બહાર આપવામાં આવી નથી. સાયના પોઝીટીવ આવ્યા બાદ તેને હોસ્પિટસમાં ક્વૉરંટાઇન કરવામાં આવી છે.
#WATCH Badminton Player Saina Nehwal on joining BJP: The way Prime Minister works day & night, I like it very much. I like doing something for the country & BJP is a party that is doing good work for the country, I am happy to have joined the party. pic.twitter.com/q8oHcemoLh
સાયના પોલિટિક્સમાં
દુનિયાભરમાં બેડમિન્ટનથી ભારતનું નામ રોશન કરનાર ખેલાડી ભાજપમાં સામેલ થઇ ગઈ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે તેમને પાર્ટીની સદસ્યતા આપી. સાયના સાથે તેમની મોટી બહેન ચંદ્રાશુ નેહવાલ પણ પાર્ટીમાં સામેલ થઇ છે. બેડમિન્ટન ખેલાડીના ભાજપમાં સામેલ થયા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થઇ શકે છે.
ભાજપમાં સામેલ થયા બાદ સાયનાએ ભાજપ અને વડાપ્રધાનના કર્યા વખાણ
ભાજપમાં સામેલ થતા જ સાયનાએ કહ્યું હતું કે ''આજે ખુબ શુભ દિવસ છે. મેં ઘણા મેડલ જીત્યા છે પણ આજે હું તે પાર્ટીમાં સામેલ થઇ રહી છું જે દેશ માટે કામ કરે છે. હું મહેનતુ ખેલાડી છું એટલે મને મહેનતુ લોકો સાથે જ કામ કરવું મને ગમે છે.'' સાયનાએ આગળ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીથી મને ખુબ પ્રેરણા મળે છે. નરેન્દ્ર સરે દેશ માટે બહુ જ કામ કર્યા છે. મને આનંદ છે કે હું આ પાર્ટીમાં સામેલ થઇ છું જે દેશ માટે કામ કરે છે અને મને આશા છે કે હું પાર્ટીની અપેક્ષાઓ પ્રમાણે કામ કરી શકીશ.