અમરેલીના જાફરાબાદ શહેરમાં ટોળા એકઠા થવાનો મામલે પોલીસ સક્રિય બની છે. ખલાસીઓનો 2 માસનો પગાર કાપવાને સ્થિતીને લઇને લોકોમાં ઉગ્રતા જોવા મળી હતી. ખારવા સમાજના આગેવાનો આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી ટોળાએ આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે સ્થિતિ કંટ્રોલ કરવા કોમ્બિંગ શરૂ કર્યુ હતું.
2 માસનો પગાર કાપવાના નિર્ણયને લઇને હંગામો
ખલાસીના ટોળાએ આગેવાનોના ઘરે પહોંચી કર્યો પથ્થરમારો
ખારવા સમાજના આગેવાનો દ્વારા પગાર કાપવાનો કરાયો છે નિર્ણય
ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2 મહિનાનો પગાર કાપવાનો નિર્ણય કરતા મોટી સંખ્યામાં ખલાસીઓ એકઠા થયા હતા. ખલાસીઓનું ટોળાંએ ખારવા સમાજના આગેવાનોના ઘરે પહોંચી પથ્થરમારો શરૂ કર્યો હતો. ખલાસીઓ ઉગ્ર બનતા સ્થિતિ બેકાબૂ બની હતી.
આ સમગ્ર ઘટનાની જાણ થતા SP નિર્લિપ્ત રાય સહિત LCB, SOG અને કોસ્ટલ વિસ્તારની પોલીસનો કાફલો જાફરાબાદ પહોંચ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા 8થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. પોલીસે સમગ્ર જાફરાબાદને કંટ્રોલમાં લઇને ટોળાને વિખેર્યું હતું. હાલ પોલીસ સક્રિય બની છે સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.