અભિનેતા સૈફ અલી ખાન અરબાઝ ખાનના ટૉક શોમાં પહોંચ્યો હતો. જ્યાં અરબાઝ ખાને શોની થીમ પ્રમાણે કેટલાંક ટ્રોલર્સના મેસેજ ખુદ સૈફ પાસે વંચાવ્યા હતાં. શોમાં લિસ્ટ કરાયેલા પહેલાં જ ટ્રોલમાં સૈફ અલી ખાનની ખૂબ ટીકા થઈ હતી. ટ્રોલ કરનારે સૈફને દીકરા તૈમૂર અલી ખાનના નામથી જોડાયેલા વિવાદ, સૈફને મળેલા પદ્મશ્રી સન્માન, રેસ્ટૉરંટમાં મારપીટની વાતોને શામેલ કરી હતી અને સૈફની ઍક્ટિંગને પણ ખરાબ કરી હતી. આ ઉપરાંત ટ્રોલરે પદ્મશ્રી પુરસ્કાર સૈફે ખરીદ્યો છે તેવો પણ આરોપ લગાવ્યો તો.
જેના જવાબમાં સૈફે કહ્યું હતું કે આ તો ઘણી બાબતો કહેવાઈ ગઈ છે. પહેલી વાત જે લખી છે કે હું ઠગ છું જે ખોટી છે. બીજી વાત કે પદ્મશ્રી પુરસ્કાર ખરીદવાની તો તે પણ ખોટી છે. શું આવું શક્ય છે ખરું? પરંતુ મને લાગે છે કે પદ્મશ્રીનું સન્માન મને મળવું જોઈતું ન હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવાં ઘણાં લોકો છે જે મારાથી વધુ કાબેલ છે આ સન્માન માટે. ઘણાં સીનિયર એક્ટરને હજુ આ સન્માન નથી મળ્યું.
સૈફે આગળ જણાવ્યું કે આ મારા માટે ઘણી શરમની વાત છે કે આ પુરસ્કાર કેટલાંક એવાં લોકોને પણ મળ્યું છે જે મારાથી પણ ઓછી લાયકાત ધરાવે છે પરંતુ હવે હું આ પદ્મશ્રી સરકારને પરત આપવા માંગુ છું. જ્યારે મને આ પુરસ્કાર અપાતો હતો ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે હું એ સ્થિતિમાં નથી કે ભારત સરકાર દ્વારા મળી રહેલાં સન્માનને ઈન્કાર કરી શકું. એટલે એ સમયે મેં ખુશી-ખુશી પુરસ્કાર લઈ લીધો તો. મેં વિચાર્યુ હતું કે આજે નહીં તો કાલે એવું કામ કરીશ જેથી આ પુરસ્કારને લાયક થઈ જાઉં અને ત્યારે જ લોકો મને આ પુરસ્કાર માટે યોગ્ય સમજશે.
બીજી બીજા દીકરના તૈમુર અલી ખાનના નામ પર સ્પષ્ટતા આપતા સૈફે કહ્યું કે મને આ નામમાં કોઈ ખરાબી જણાતી નથી. તૈમૂરનો અર્થ થાય છે આયરન અને તે એક મજબૂતીનું પ્રતિક છે. હું આ નામને લઈને થયેલા વિવાદથી પરિચિત છું. લોકોને લાગે છે કે આ નામ મેં ટર્કિસ મંગોલિયન તિમૂરના નામ પરથી રાખ્યું છે. બંને નામોમાં ફર્ક છે, જે લોકો સમજી શકતા નથી. મારા દીકરાનું નામ તૈમૂર છે અને મંગોલિયન રાજાનું નામ તિમૂર હતું.