વિવાદ / મારે નથી જોઈતો પદ્મશ્રી પુરસ્કાર, હું સરકારને પરત કરવા માંગુ છુંઃ સૈફ અલી ખાન

saif ali khan says i wanted to give back padmashri to the indian government i dont deserve

અભિનેતા સૈફ અલી ખાન અરબાઝ ખાનના ટૉક શોમાં પહોંચ્યો હતો. જ્યાં અરબાઝ ખાને શોની થીમ પ્રમાણે કેટલાંક ટ્રોલર્સના મેસેજ ખુદ સૈફ પાસે વંચાવ્યા હતાં. શોમાં લિસ્ટ કરાયેલા પહેલાં જ ટ્રોલમાં સૈફ અલી ખાનની ખૂબ ટીકા થઈ હતી. ટ્રોલ કરનારે સૈફને દીકરા તૈમૂર અલી ખાનના નામથી જોડાયેલા વિવાદ, સૈફને મળેલા પદ્મશ્રી સન્માન, રેસ્ટૉરંટમાં મારપીટની વાતોને શામેલ કરી હતી અને સૈફની ઍક્ટિંગને પણ ખરાબ કરી હતી. આ ઉપરાંત ટ્રોલરે પદ્મશ્રી પુરસ્કાર સૈફે ખરીદ્યો છે તેવો પણ આરોપ લગાવ્યો તો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ