સૈફ અલી ખાન અને અમૃતાના ડિવોર્સને 16 વર્ષ થઇ ચૂક્યા છે. હવે તો સૈફ કરિના કપૂર સાથે લગ્ન પણ કરી દીધા છે અને તેમનો દિકરો તૈમૂર પણ 3 વર્ષનો થઇ ચૂક્યો છે. આમ છતાં આજે પણ સૈફને ક્યાંકને ક્યાંક અમૃતા સાથેના ડિવોર્સનું દુખ છે અને હૃદયમાં એક ઉંડી પીડા છે.
સૈફે તાજેતરમાં જ અમૃતા સાથેના તલાક પર એક ઇન્ટવ્યૂમાં ખૂલીને વાત કરી અને એ પણ જણાવ્યુ કે, આનો તેમના બાળકો ઇબ્રાહિમ અને સારા પર શું પ્રભાવ પડ્યો. એક ઇન્ટરવ્યૂમાં સૈફે કહ્યુ કે, તલાક દુનિયાની સૌથી ખરાબ વસ્તુ છે. તે સમયે કંઇક અલગ અને સારું થઇ શક્યુ હોત. સૈફે આગળ કહ્યુ કે, તેને નથી લાગતુ કે તે ક્યારેય પોતાના તલાકની સહજ થઇ શકે કારણે કે, કેટલીક એવી બાબતો છે જેને સાચવી શકાતી નથી. તે એવું વિચારીને સંતોષ કરી લે છે કે, તે ત્યારે નાની ઉંમરનો હતો.
અમૃતા સાથે સૈફના લગ્ન 1991માં થયા હતા. બંનેની મુલાકાત ફિલ્મ બેખુદના સેટ પર થઇ હતી. તે ફિલ્મમાં પહેલા સૈફ અને કાજોલ કામ કરી રહ્યા હતા પણ ફિલ્મના ડિરેક્ટર સૈફને અનપ્રૉફેશનલ ગણાવી ફિલ્મમાં રિપ્લેસ કરી દીધો હતો. સૈફે ભલે આ ફિલ્મમાં ન રહ્યો હોય પણ સેટ પર સેટ પર તેને અમૃતા રૂપે લાઇફ પાર્ટનર મળી ગયો હતો. અમૃતા સાથે મુલાકાતના થોડા મહિનાઓ પછી જ સૈફે તેની સાથે લગ્ન કરી દીધા. જોકે 2004માં બંને અલગ થઇ ગયા. અમૃતાથી સૈફને 2 બાળકો ઇબ્રાહિમ અને સારા અલી ખાન થયા.
સૈફે કહ્યુ કે, કોઇપણ બાળકને એક સારા ઘર અને પરિવેશથી અડગુ ન રાખવુ જોઇએ. સ્થિતિ ભલે ગમે તેવી હોય પણ સારી રીતે હેન્ડલ કરવી જોઇએ અને ખુશહાલીથી રહેવુ જોઇએ. તેણે આગળ કહ્યુ કે, આ જિંદગી ખૂબ જ સુંદર છે. બની શકે છે કે, 2 પેરેન્ટ્સ હોવા દુનિયામાં કોઇના માટે સારી બાબત ન હોય પણ જે બાબતે બાળકો સાથે જરૂર શેર કરવી જોઇએ તે છે એક સારું ઘર અને વાતાવરણ..
જોકે સૈફ પોતાના બીજા લગ્નજીવનમાં ઘણો ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યો છે. અમૃતાથી અલગ થયાના થોડા વર્ષો પછી તેને કરિનાની સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ 16 ઓક્ટોબર 2012 ના રોજ લગ્ન કરી દીધા. લગ્ન પહેલા સૈફ અને કરિનાએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તાનાજી: ધ અનસંગ વૉરિયર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનું નેગેટિવ કેરેક્ટર લોકોને પસંદ આવ્યુ હતુ. અત્યારે પોતાની આગામી ફિલ્મ જવાની જાનેમન ના પ્રમોશનમાં બિઝી છે. આ ઉપરાંત તે દિલ બેચારા અને બંટી અને બબલીમાં જોવા મળશે, આ તમામ ફિલ્મો આ જ વર્ષે રિલીઝ થશે.