બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરે હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન ટ્વિટર પર ના હોવાનુ કારણ જણાવ્યું છે. આ સાથે તેમણે ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને બૉયકોટ કરવા અંગે પણ વાતચીત કરી છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમને આવા લોકોથી કોઈ ફરક પડતો નથી.
કરીના કપૂરે એક ઈન્ટરવ્યુ દરમ્યાન ટ્વિટર પર ના હોવાનુ કારણ જણાવ્યું
ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને બૉયકોટ કરવા અંગે પણ કરી વાતચીત
દુનિયામાં બધા લોકોએ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ જોઈ નથી
ટીકાકારોના કારણે ટ્વિટર પર નથી કરીના
કરીના કહે છે, દરરોજ કઈકને કઈક એવી વસ્તુઓ થાય છે, જેના માટે અમારી ટીકા કરવામાં આવે છે. તેથી હું ટ્વિટર પર પણ નથી. મને એવુ લાગે છે કે આ એવા લોકો માટે છે, જે માત્ર પોતાની ભડાસ નિકાળવા માંગે છે. હું મારા બાળકો, પરિવાર અને કામમાં ખૂબ વ્યસ્ત છુ. મારી પાસે તેના માટે સમય નથી.
દુનિયામાં બધા લોકોએ ફોરેસ્ટ ગમ્પ નહીં જોઈ હોય: કરીના
કરીનાએ ફોરેસ્ટ ગમ્પ અંગે વાતચીત કરતા કહ્યું, કોઈ શખ્સ કે જેને કદાચ અંગ્રેજી બોલતા આવડતુ નથી, તે ફિલ્મ જોવા જશે. આ સ્ટોરી માટે તેનો પ્રેમ છે, જે તેમને ટ્રેલર પરથી ખબર પડી છે. તે એક હોલીવુડ ફિલ્મની રીમેક છે, તેના પરથી તેઓને ખબર પડી નથી. આ ફિલ્મને તામિલ અને તેલુગુમાં પણ ડબ કરવામાં આવી રહી છે, કારણકે દર્શકો તેને પોતાની ભાષામાં જોઇ શકે અને ફિલ્મને એન્જોય કરી શકે. તેમાં કશુ પણ ખોટુ નથી. દુનિયામાં બધાએ ફોરેસ્ટ ગમ્પ જોઈ નથી.