ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ભડકેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશ ઈન્ટેલિજન્સે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રિપોર્ટ સોંપ્યો છે. યુપી ઈન્ટેલિજન્સે સોંપેલા રિપોટમાં ભીમ સેના પર શંકાની સોઈ સેવાઈ રહી છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માયાવતીના ભાઈ આનંદ ભીમ આર્મીના સંપર્કમાં હતા. સાથેજ રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બહુજન સમાજવાદી પાર્ટી ભીમ આર્મીને સતત મદદ કરતી હતી.
મહત્વનું છે કે સહારનપુરમાં ભીમ સેના દ્વારા મંદિરના સ્થળે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવાને લઈને વિવાદ સર્જાયો અને ત્યારબાદ હિંસા ભડકી ઉઠી જેમાં કુલ 2 લોકોની હત્યા કરી દેવામાં આવી જ્યારે 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સહારનપુરમાં ભડકેલી હિંસા બાદ સીએમ યોગી આદિત્યનાથે સહારનપુરના SSP અને DMને સસ્પેન્ડ કરી દીધા અને તાત્કાલિક ધોરણે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરીને સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો.
આ સાથેજ સીએમ યોગી આદિત્યનાથે પણ સમગ્ર મામલાની જાણકારી મેળવી અને તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપી દીધા. મહત્વનું છે કે સહારનપુરની હિંસા પાછળ બહુજન સમાજવાદી પાર્ટી અને તેના સુપ્રીમો માયાવતીને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ માયાવતી ભાજપ સરકાર જાતિવાદના નામે હિંસા ભડકાવી રહી હોવાનો આરોપ લગાવી રહી છે. હાલ તો સમગ્ર સહારનપુરમાં અજંપા ભરી સ્થિતિ છે અને તંત્ર સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે અને ગ્રામજનોન સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે ભીમ સેના પોતાની લડાઈ અને પ્રદર્શન પર યથાવત રહી છે.
યુપી ઈન્ટેલિજન્સીએ સીએમ યોગીને સોંપી રિપોર્ટ
માયાવતીના ભાઈને સંબંધ
હિંસાબાદ માયાવતીના બાઈ આનંદ ભીમ આર્મીના સંપર્કમાં હતા