બહુચર્ચિત સાગરદાણ કૌભાંડનો મામલે આખરે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં હાજર કરાયા છે. જાણો શું છે મામલો?
સાગરદાણ કૌભાંડનો મામલો
વિપુલ ચૌધરી અને અન્ય આરોપીઓ કોર્ટમાં રજૂ કરાયા
6 વર્ષ બાદ કેસમાં જવાબ લેવાયો
મહેસાણા બહુચર્ચીત સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિત આરોપીને મહેસાણા કોર્ટમાં હાજર કરાયા છે. આજે 6 વર્ષ બાદ આ કેસમાં આરોપીઓનો જવાબ લેવામાં આવ્યો છે. આ મામલે મહેસાણાના રાજકારણમાં ગુસપુસ છે કે, વિપુલ ચૌધરીની ગણતરી ભાજપના માનીતા લોકોમાં થાય છે અને એટલે જ તે આજ સુધી આ મામલે બચી જતા હતા.
શું છે મામલો?
મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી સાગર દાણ મોકલાયું હતું. કોઇપણ મંજૂરી વિના સાગર દાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. જેને પગલે ડેરીને રૂપિયા 22 કરોડનું નુકસાન થયું હતું. તત્કાલિન કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા સાગરદાણ મોકલાયું હોવાનો આક્ષેપ છે.
GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું
વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેને પગલે એ વખતના કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલાયું હોવાના આક્ષેપ થયા હતા. મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરીને સાગરદાણ મોકલાયું હતું. જેમાં મહારાષ્ટ્રની મહાનંદાડેરીને સાગરદાણ મોકલાયું હતું આ અંગે કોઈપણ જાતની મંજરી લેવામાં આવી ન હતી. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું હતું.
17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવાયા હતા. 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરાયો હતો. વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લ઼ડ્યા હતા. ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન બન્યા હતા.
ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા
ચેરમેન બન્યા બાદ હાઇકોર્ટના આદેશથી બરતરફ કરાયા હતા. વિપુલ ચૌધરી રાજપાની સરકારમાં ગૃહમંત્રી હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા