જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોને શાંત કરવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાય જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણા સાચા સાબિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેસરના ઉપાય અંગે પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપાય કરવાથી ગ્રહોનો સાથ મળે છે અને પ્રગતિના નવા માર્ગ ખુલે છે.
ગ્રહોને શાંત કરવા જીવનમાં કરો આ ઉપાય
કેસરના આ ઉપાય કરવાથી મળે છે ગ્રહોનો સંગાથ
જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે
કેસરનો ચાંલ્લો કરવાથી થશે ફાયદો
આજે કેસરના કેટલાંક આવા ચમત્કારિક ઉપાયો અંગે જણાવીશુ. કોઈ જાતકની કુંડળીમાં જો દેવગુરૂ બૃહસ્પતિ અશુભ સ્થિતિમાં છે તો કેસરનો ચાંલ્લો લગાવવાથી ઘણો ફાયદો મળે છે. એવામાં શુક્લ પક્ષના ગુરૂવારથી આખા 1 વર્ષ સુધી કેસરનો ચાંલ્લો માથુ, હૃદય અને નાભિ પર લગાવો. જેનાથી બૃહસ્પતિ પ્રસન્ન થઇને શુભ ફળ આપે છે.
ખરાબ નજર અથવા જાદુ-ટોણાથી બચવા કરો આ ઉપાય
જો ઘર પર ખરાબ નજર અથવા જાદૂ-ટોણાથી બચવા માટે કેસરની સાથે જાવિત્રી અને ગુગળ મિક્સ કરીને ધૂપ બનાવો. આ ધૂપને ગુરૂવારથી સતત 21 દિવસ ઘરમાં પ્રગટાવો અને તેના ધૂમાડાને ઘરમાં ફેરવો. આમ કરવાથી તીખી નજર અને જાદુ ટોણામાંથી મુક્તિ મળશે.
જે મહિલાઓને શુક્ર સંબંધિત સમસ્યા છે, તે કરે આ ઉપાય
જે મહિલાઓની કુંડળીમાં શુક્ર સંબંધિત સમસ્યા છે. એવામાં આ મહિલાઓને કોઈ પણ મહિલા અથવા યુવતીને મેકઅપ કિટની સાથે કેસરનુ દાન કરવુ જોઈએ. આમ કરવાથી સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.
સાત સફેદ કોડિઓને કેસરથી રંગીને તેને લાલ કપડામાં બાંધો
કોઈ પણ સારા દિવસે સાત સફેદ કોડિઓને કેસરથી રંગીને તેને લાલ કપડામાં બાંધી લો. ત્યારબાદ શ્રીસૂક્તના સાત વખત પાઠ કરો. ત્યારબાદ પોટલીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ધનલાભ થાય છે.