કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ વિધાયકોએ કર્નાણાટક ગ્રામીણ વિકાસ તથા પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપાના તિરંગા પર બયાનના વિરોધમાં રાત વિતાવી, જેનો વીડિયો સામે આવ્યો છે.
કોંગ્રેસ વિધાયકો વિધાનસભામાં રાતભર રોકાયા
ઈશ્વરપાના તિરંગાને લઈને બયાન પર વિરોધ
આ પહેલા પણ થઇ ચુક્યો છે આ પ્રકારે વિરોધ
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ વિધાયકોએ રાત વિતાવી, જેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘણા વિધાયક તકિયા તથા ગાદલાનો પ્રબંધ કરતા જોવા મળ્યા. સાથે જ અમુક વિધાયકો સદનની લોબીમાં ગાદલા પાત્રીને સુતા પડેલા જોવા મળ્યા.
કર્નાણાટક ગ્રામીણ વિકાસ તથા પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપાના તિરંગા પર બયાનને લઈને રાજ્યમાં ઘમાસાન છે. ઈશ્વરપાને બરખાસ્ત કરવા તથા રાષ્ટ્રીય ધ્વજ પર તેમના બયાન માટે દેશદ્રોહનો મામલો દાખલ કરવાની માંગ કરી રહેલ કોંગ્રેસ વિધાયકોએ વિધાનસભામાં જ રાત વિતાવી. ઈશ્વરપાએ હાલમાં જ દાવો કર્યો હતો કે 'ભગવો ધ્વજ' ભવિષ્યમાં રાષ્ટ્રીય ધ્વજ બની શકે છે, જ્યાર બાદ જ કોંગ્રેસ વિધાયકો તેમની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. વિધાયકોના તમાશાના ચાલતા સતત બીજા દિવસે બંને સદનોની કાર્યવાહી ઠપ રહી.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી તથા પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાએ બાદમાં વિધાનસભા પરિસરમાં નેતા પ્રતિપક્ષ તથા કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી વાતચીત કરી. જોકે, કોઈ સફળતા ન મળી.
બીએસ યેદિરુપ્પાએ કહ્યું કે અમે લગભગ બે કલાક સુધી વિપક્ષી પાર્ટીના નેતાઓને સમજાવવાની કોશિશ કરી. અમે તેમને કહ્યું કે અહી વિધાનસભામાં ન સુવો, પરંતુ તેમણે પહેલા જ નિર્ણય કરી લીધો હતો. સ્પીકરે પણ તેમને સમજાવવાણી કોશિશ કરી, પરતું તેઓ ન માન્યા.
ત્યાર બાદ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર સહિત કર્ણાટક કોગ્રેસના નેતાઓને વિધાનસભા કેન્ટીનમાં ડીનર કરતા જોવામાં આવ્યા. વિધાનસભાની બહાર પત્રકારોને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ ભાજપા તથા સંઘ પરિવાર પર રાષ્ટ્રીય ધ્વજનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો તથા કહ્યું કે કોંગ્રેસે આ મુદાને 'તાર્કિક અંત' સુધી આવવા માટે રાતભર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે.
#WATCH | Bengaluru: Congress MLAs protest overnight in Karnataka Assembly demanding State Minister KS Eshwarappa's resignation over his saffron flag remark
કુમાર વિશ્વાસના આરોપો પર સીધો જવાબ આપે કેજરીવાલ: રાહુલ ગાંધી
જોકે ઈશ્વરપાએ કહ્યું કે તેઓ રાજીનામું નહિ આપે. ઈશ્વરપાએ કહ્યું કે તેમનું કોઈપણ કારણે રાજીનામું આપવાનો સવાલ ઉઠતો નથી તથા તેઓ એક દેશભક્ત છે જે આપાતકાળ દરમિયાન જેલ પણ ગયા હતા. તેમને કહ્યું કે તેમને વિરોધ કરવા દો. હું નહિ હટુ. તેમણે કોંગ્રેસના કર્ણાટક ઇકાઈ પ્રમુખ ડી કે શિવકુમારને રાજીનામું આપવાની માંગ કરી તથા તેમના પર તેમની પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન માટે રાષ્ટ્રીય ધ્વજનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો.
જે કોલેજોમાં ડ્રેસકોડ નથી, ત્યાં...... હિજાબ વિવાદ પર બોલ્યા કર્ણાટકના મંત્રી
ઈશ્વરપાએ હાલમાં જ દાવો કર્યો હતો કે ભગવો ધ્વજ ભવિષ્યમાં રાષ્ટ્ર ધ્વજ બની શકે છે તથા તેને લાલ કિલ્લાની પ્રાચીર પર ફરકાવવામાં પણ આવી શકે છે. જોકે તેમણે કહ્યું હતું કે તિરંગો હવે રાષ્ટ્રીય ધ્વજ છે, તથા તેનું પણ સૌએ સમ્માન કરવું જોઈએ.
વિધાનસભામાં અધ્યક્ષે બુધવારે કોંગ્રેસના તે સ્થગન પ્રસ્તાવને ખારિજ કર્યો જેમાં ઈશ્વરપાની બરખાસ્ત કરવા તથા તેમના વિરુદ્ધ દેશદ્રોહનો મામલો દાખલ કરવાની માંગ હતી. આ પહેલા વર્ષ 2019માં પણ વિધાયક વિધાનસભામાં રાતભર રોકાયા હતા. તે સમયે ભાજપા વિધાયકોએ પ્રદર્શન કર્યું હતું જે તત્કાળ મુક્યામંત્રી એચડી કુમાર સ્વામી દ્વારા સદનમાં વિશ્વાસસમત હાસિલ કરવામાં સમય લાગવા બદ્દલ વિરોધ કરી રહ્યા હતા.
વર્ષ 2010માં કોંગ્રેસ વિધાયકોએ પણ આ જ પ્રકારે તત્કાળ ભાજપા સરકાર વિરુદ્ધ અવૈધ ખનનને લઈને પ્રદર્શન કર્યું હતું. માનવામાં આવે છે કે 1966માં પહેલી વાર આ પ્રકારે રાત્રે વિધાનસભામાં રોકાઈને પ્રદર્શન થયું હતું. ત્યારે ભાજપા દ્વારા વિજળીના દરોને લઈને તત્કાળ જેએચ પટેલ સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયું હતું.