ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની અવિશ્વસનીય એન્ટ્રી બાદ ભારતના દિગ્ગજ બોલર વેંકટેશ પ્રસાદે એક ટ્વિટ કર્યું હતું
પાકિસ્તાને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી સેમિફાઈનલમાં જગ્યા સુનિશ્ચિત કરી લીધી
ભગવા રંગે પાકિસ્તાનની સેમીફાઈનલમાં એન્ટ્રી કરાવી
ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બોલરનું ટ્વિટ થયું વાયરલ
T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે એટલે કે ગઇકાલે ઘણા મોટા ઉલટફેર જોવા મળ્યા હતા. ગઇકાલે પાકિસ્તાનને સેમિફાઇનલમાં જવા માટે લાઇફલાઇન મળી હતી. જણાવી દઈએ કે નેધરલેન્ડની ટીમે રવિવારે દક્ષિણ આફ્રિકાની ટીમ જે ટાઇટલ માટે દાવેદાર હતી એવી ટીમને 13 રનથી હરાવીને સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકી દીધી હતી અને તેને કારણે પાકિસ્તાન માટે સેમિફાઇનલ સુધી પંહોચવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આ સાથે જ પાકિસ્તાને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી સેમિફાઈનલમાં જગ્યા સુનિશ્ચિત કરી લીધી હતી.
ભગવા રંગે પાકિસ્તાનની સેમીફાઈનલમાં એન્ટ્રી કરવી
જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની અવિશ્વસનીય એન્ટ્રી બાદ ભારતના દિગ્ગજ બોલર વેંકટેશ પ્રસાદે એક ટ્વિટ કર્યું હતું જે હાલ ઘણું વાયરલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'તો ભગવા રંગે પાકિસ્તાનને સેમી ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી.' જો કે પૂર્વ ભારતીય બોલર વેંકટેશ પ્રસાદના આ ટ્વીટ પછી બધાને આશ્ચર્ય થયું કે એમને આવું ટ્વિટ શા માટે કર્યું?
દિગ્ગજ બોલરનું ટ્વિટ થયું વાયરલ
જણાવી દઈએ કે ભારતના દિગ્ગજ બોલર વેંકટેશ પ્રસાદ આ ટ્વિટમાં નેધરલેન્ડ ક્રિકેટ ટીમની જર્સીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. નેધરલેન્ડ ક્રિકેટ ટીમની જર્સીનો રંગ કેસરી છે અને તેને કારણે પાકિસ્તાન માટે સેમિફાઇનલ સુધી પંહોચવાનો રસ્તો સાફ થયો હતો. વેંકટેશ પ્રસાદે અચાનક આ ટ્વીટ કરીને દરેક લોકોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન પાસે એક જ આશા હતી કે એ રવિવારે ગ્રુપ 2ની મેચમાં નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને માત આપે અને એવું જ થયું.
T20 વર્લ્ડ કપ 2022ની સેમી ફાઇનલમાં પહોંચી આ ટીમ
પાકિસ્તાન ક્રિકેટ ટીમની બાંગ્લાદેશ સામે જીતી હતી એ પછી ગ્રુપ 2 ના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ પર અને દક્ષિણ આફ્રિકા 5 પોઈન્ટ પર હતું. પણ દક્ષિણ આફ્રિકાની હાર પછી પાકિસ્તાને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. હાલ ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ટીમ ઈન્ડિયા પંહોચી સેમિફાઇનલમાં
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની આ છેલ્લી મેચમાં ભારતનો વિજય થયો હતો. T20 વર્લ્ડ કપની ગઇકાલની મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું હતું અને આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ હતી. હવે સેમિફાઇનલની મેચમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. જો કે એ પહેલા જ ગ્રુપ બીની મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.