ટીમ ઈન્ડિયા હાલ ઈન્દોરમાં છે જ્યાં 24 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડે રમવાના છે એ પહેલા આ ખેલાડીઓ સોમવારે સવારે મહાકલેશ્વરના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ ભગવાન મહાકાલના દર્શન માટે પહોંચ્યા
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો
રિષભ પંતના સ્વાસ્થ્ય માટે કરી પ્રાથના
ભારતીય ટીમે 24 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડની સામે વનડે સિરિજની ત્રીજી અને છેલ્લી મેચ રમવાની છે. આ મેચ ઈન્દોરમાં રમવાની છે અને ટીમ ઈન્ડિયા આ સિરીજમાં પહેલેથી જ 2-0 થી આગળ ચાલી રહી છે. આ મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ભગવાન મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો
ટી - 20 ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કરેલ સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ સહિત ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા હતા. ત્યાં બધા ખેલાડીઓએ ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. તે દરમિયાન બધા જ ખેલાડીઓ પવિત્ર કેસરી કપડામાં નજરે આવ્યા. વોશિંગ્ટન સુંદર , સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ ની ભસ્મ આરતી કરતી તસવીરો પણ જોવા મળી હતી .
Madhya Pradesh | Indian cricketers Suryakumar Yadav, Kuldeep Yadav, and Washington Sundar visited Mahakaleshwar temple in Ujjain and performed Baba Mahakal's Bhasma Aarti. pic.twitter.com/nnyFRLMbfa
રિષભ પંતના સ્વાસ્થ્ય માટે કરી પ્રાથના
સૂર્યકુમાર યાદવે કહ્યું કે રિષભ પંત જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેની માટે અમે બધાએ ભગવાનને પ્રાર્થના કરી છે. રિષભ પંતનું સ્વસ્થ થઈને પરત આવવું ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ જરૂરી છે. ન્યુઝીલેન્ડની વિરુદ્ધ વનડે સિરીજ પહેલેથી જ જીતી ચૂક્યા છીએ પણ હવે ક્લીન સ્વીપ કરવાનું પસંદ કરીશું .
ન્યુઝીલેન્ડ સામે 24 જાન્યુઆરીએ ત્રીજી વન ડે મેચ
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ઈન્દોર સ્થિત હોલકર સ્ટેડિયમમાં 24 જાન્યુઆરીએ ત્રીજી વન ડે મેચ રમવાની છે. ભારત ન્યુઝીલેન્ડની વિરુદ્ધ ત્રણ મેચોની શ્રેણીમાં 2-0 થી આગળ ચાલી રહી છે. પહેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 12 રનોથી અને બીજી મેચમાં 8 રનથી પરાજય આપ્યો હતો. વનડે સિરીજ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 ની સિરીઝ પણ રમાવાની છે.