હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદની સીઝન પૂરજોશમાં છે. આ સમયે ઘરમાં ભેજ આવે તે શક્ય છે. ઘરમાં ખુલ્લા પડેલા વીજળીના વાયરના કારણે કરંટ લાગે તેવું પણ બને છે. ઘણી વાર કરંટ લાગવાના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. કરંટ લાગતાંની સાથે જ જો વ્યક્તિને સીપીઆર (Cardiopulmonary resuscitation)ની ટેકનિક અપનાવવામાં આવે તો દર્દીને 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે.
કરંટ લાગે તો શું કરવું?
જેને કરંટ લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.
તરત જ પાવર સપ્લાય બંધ કરીને વિક્ટિમને હટાવવા માતે લાકડું/પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરો.
વિક્ટિમના શ્વાસ ચેક કરો. કોઇપણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવી લેવી.
એમ્યુલન્સ આવે ત્યાં સુધી બેહોશ વ્યક્તિને મોઢાથી શ્વાસ આપો. જેથી તેના હાર્ડબીટ્સ ચાલુ રહે.
ધ્યાન રાખો કે તે વ્યક્તિ સીધો સૂતો હોય અને તેના પગને થોડા ઉપર ઉઠાવેલા હોય
દર્દીને ભાન આવે છે તો તેને ખાવા પીવા માટે કઇ પણ ન આપો. તેને પડખે સૂવાડો અને દાઝેલાના ઘા પર મલમ લગાવો.
કરંટ લાગવાથી અનેક વાર શરીરનો તે ભાગ સુન્ન થઇ જાય છે. વ્યક્તિ ભાનમાં આવે ત્યારે મેડિકલ હેલ્પ લો.
ચોમાસામાં ધ્યાન રાખો આ વાતો
ફ્રીઝના હે્ડલ પર કપડું બાંધીને રાખો.
બે પિનના સોકેટને બદલે થ્રી પિન સોકેટ યૂઝ કરો. તેમાં અર્થિગ મળે છે, તો કરંટ લાગવાનો ડર રહેતો નથી.
થ્રી પિન પ્લગ પણ ચેક કરો. ધ્યાન રાખો કે ત્રણેય તાર જોડાયેલા હોય અને કોઇ પણ પિન ખરાબ ન હોય.
વીજળીનું કોઇ પણ કામ કરતી વખતે રબરના ચંપલ પહેરો.
જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સના તાર ઘસાઇ ગયા હોય કે ખરાબ હોય તેને ઉપયોગ કર્યા પહેલા રિપેર કરી દો.
કોઇપણ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થાય તો પ્રોફેશનલ્સની મદદ લો. ઓછી જાણકારીમાં તમારી મુસીબત વધી શકે છે.