ગુજરાતના ખેડામાં એક કાર્યક્રમમાં સાધ્વી ઋતુંભરાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડાના મહિસામાં યોજાયો હતો. અહિં તેમણે વડાપ્રધાન વિશે જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદીને દેશની ધૂરા એટલે નથી સોંપી કે તે ડુંગળી લસણના ભાવ કંટ્રોલ કરે.
નરેન્દ્ર મોદીને રાષ્ટ્ર નિર્માણ માટે વડાપ્રધાન બનાવ્યાં છે નહિં કે ડુંગળી લસણના ભાવ ઘટાડવાં
નરેન્દ્ર મોદી ડુંગળી-લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા પરંતુ ભારત દેશને વધુને વધુ ઉન્નત બનાવવા અને રાષ્ટ્ર નિર્માણ માટે વડા પ્રધાન બન્યા છે. જી હાં આવું નિવેદન સાધ્વી ઋતુંભરાએ ખેડાના મહિસામાં કર્યું હતું. સંવિદ ગુરુકુલના ઉદ્ધઘાટન માટે મુખ્ય અતિથિ તરીકે આવેલા સાધ્વી ઋતુંભરાએ તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડુંગળી લસણના ભાવ સસ્તા કરાવવાનું કાર્ય વડાપ્રધાન મોદીનું નથી. તેમનું નિર્માણ રાષ્ટ્ર હિતના કાર્ય માટે થયું છે.
મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવા દેવા મામલે પણ કરી હતી ધારદાર દલિલ
હાલ સાધ્વી ઋતુભંરા ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં એક કથામાં હાજરી આપવા આવેલ સાધ્વી કેવડિયા કોલોની સહિતની જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સાધ્વી ઋતુભંરા તેમની વાક્છટા માટે જાણીતા છે. તે પોતાના મંતવ્યો પ્રખર રીતે રજૂ કરે છે ચાહે એ મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશવા દેવાનો મુદ્દો હોય કે અન્ય કોઈ મુદ્દો. જો કે પોતે કટ્ટર હિંદુવાદી છબી ધરાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસંશક છે.
ભડકાઉ ભાષણ માટે પણ છે જાણીતા સાધ્વી ઋતુભંરા
સાધ્વી ઋતુભંરા હિન્દુ ધર્મને લઈને ખૂબ જ કટ્ટરવાદી વલણ ધરાવે છે. તેમના હિન્દુ ધર્મ વિશેના ભાષણ ઘણા ભડકાઉ હોય છે.