બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતના આઝાદીવાળા નિવેદન બાદ BJP લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પણ તેના નિવેદનને સમર્થન આપ્યું હતું.
આઝાદીવાળા નિવેદન પર સાધ્વીએ કર્યુ સમર્થન
સાધ્વી પ્રજ્ઞાએ કંગનાના બચાવમાં કહી આ વાત
મોદી સરકારે જ અપાવી આઝાદી
સાધ્વીએ કંગનાના નિવેદન પર કહ્યું કે, ખરા અર્થમાં આઝાદી મોદી સરકારના આવ્યા બાદ જ મળી છે. તેની સાથે તેણે કહ્યું કે, હું મોદી સરકારના કૃષિ કાયદા પર લીધેલા નિર્ણયનું પણ સમર્થન કરું છું.
કંગનાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે દેશને 2014 પછી ખરેખર આઝાદી મળી છે. આ નિવેદન બાદ કંગનાને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. કંગનાને હાલમાં જ પદ્મ શ્રી એવોર્ડ મળ્યો છે. આ નિવેદન બાદ ઘણા નેતાઓએ કંગનાના એવોર્ડ પરત કરવાની માંગ કરી હતી. હવે સાધ્વી પ્રજ્ઞા કંગનાના સમર્થનમાં આવી છે.
CAAને દેશના હિતમાં
આ સિવાય સાધ્વી પ્રજ્ઞાએ CAAને દેશના હિતમાં ગણાવ્યું છે. એનઆરસી પર વાત કરતા તેમણે કહ્યું કે એનઆરસી બિલ હજુ આવ્યું નથી, તો તેના વિશે કેવી રીતે વાત કરી શકાય. આ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ ઓવૈસી પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે જે લોકો ઈશનિંદ કાયદાની માંગ કરી રહ્યા છે તેઓએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ.
પહેલા પણ કર્યો છે બચાવ
નોંધનીય છે કે સાધ્વી પ્રજ્ઞા ભૂતકાળમાં પણ કંગના રનૌતના સમર્થનમાં સામે આવી છે. આ વર્ષે માર્ચમાં, જ્યારે મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરી અને કંગનાની ઑફિસને કથિત રીતે ગેરકાયદે ગણાવીને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સાધ્વી પ્રજ્ઞાએ કંગનાને સમર્થન આપ્યું હતું