સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે બુધવારનાં રોજ મધ્યપ્રદેશ બીજેપીનાં ભોપાલ કાર્યાલય પહોંચીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું. તેઓની ભોપાલ સીટથી દિગ્વિજય સિંહ વિરૂદ્ધ ચૂંટણી લડવી એ નક્કી માનવામાં આવે છે.
ભોપાલઃ લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની હોટ સીટ ભોપાલથી ચૂંટણી લડવાની અટકળો વચ્ચે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર બીજેપીમાં શામેલ થઇ ગઇ છે. બુધવારનાં રોજ સાધ્વી બીજેપી કાર્યાલય પહોંચી અને પાર્ટીનાં નેતાઓ સાથે ભોપાલ કાર્યાલયમાં બેઠક કરી. એવું જણાવવામાં આવી રહેલ છે કે ભોપાલ સીટથી તેઓની ચૂંટણી લડવી એ નક્કી છે. સૂત્રો અનુસાર, સાધ્વીની જવાબદારીનું એલાન બુધવારનાં રોજ સાંજનાં કરવામાં આવે છે. એવામાં સાધ્વીનાં બીજેપીમાં શામેલ થવાં પર મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે સવાલ ઉઠાવ્યાં છે.
સાધ્વી પ્રજ્ઞાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તે ચૂંટણી લડશે અને જીતશે. જો તેઓ ભોપાલથી ચૂંટણી લડે છે તો તેનો મુકાબલો કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ સામે થશે. ભોપાલ બીજેપી કાર્યાલયમાં સાધ્વી પ્રજ્ઞાએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રામલાલ અને પ્રભાત ઝાની સાથે બેઠક કરી. એવું જણાવવામાં આવી રહેલ છે કે બેઠકમાં પ્રદેશ સ્તરથી લઇને કેન્દ્ર સ્તર સુધી ચર્ચા થઇ. મધ્યપ્રદેશનાં સીએમ કમલનાથથી જ્યાં મીડિયાએ સાધ્વી પ્રજ્ઞાની બીજેપીમાં એન્ટ્રી પર સવાલ પૂછ્યો તો તેઓએ કહ્યું કે, સાધ્વીનું બીજેપીમાં શામેલ થવું એ પાર્ટીની મનોદશાને દેખાડે છે.
શિવરાજ, ઉમા ભારતીનાં નામની હતી ચર્ચાઃ
સાધ્વી પ્રજ્ઞાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'મેં ઔપચારિક રૂપથી બીજેપીની સભ્યતા લઇ લીધી છે. હું ચૂંટણી લડીશ અને જીતીશ પણ. મારી પાસે શિવરાજ સિંહ ચૌહાણનું સમર્થન પણ છે.' તમને જણાવી દઇએ કે ભોપાલ સીટથી દિગ્વિજય સિંહને ટિકિટ મળ્યાં બાદથી જ બીજેપી ખેમેમાં ચર્ચા તેજ થઇ ગઇ હતી. ભોપાલ સીટથી બીજેપી તરફથી શિવરાજ સિંહ ચૌહાણ, ઉમા ભારતી અને નરેન્દ્રસિંહ તોમર સુધીનું નામ સામે આવી રહ્યું હતું.