મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને આજે ત્રણ દિવસ બાદ રાહત મળી હતી ત્યારે ફરી એકવાર તે મુસિબતમાં ફસાયા છે. ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ ફટકારી છે. સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ચૂંટણી પ્રચાર પર ગુરુવારે સવારે 6 વાગ્યાથી 72 કલાક માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને આજે ત્રણ દિવસ બાદ રાહત મળી હતી ત્યારે ફરી એકવાર તે મુસિબતમાં ફસાયા છે. ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ ફટકારી છે. સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ચૂંટણી પ્રચાર પર ગુરુવારે સવારે 6 વાગ્યાથી 72 કલાક માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે બાદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતા. પરંતુ તે મંદિર દર્શન સાથે ભજન-કીર્તન કરતા નજરે પડ્યા હતા. શુક્રવારે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે એક સાથે 6 મંદિરોના દર્શન કર્યા તથા આશીર્વાદ લીધા. મંદિર દર્શન દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ ઢોલ પણ વગાડ્યો હતો. તથા ભક્તો સાથે ભજન પણ ગાયા હતા. મંદિર દર્શનનો આ સિલસિલો શુક્રવાર સવારે જૈન મંદિરથી શરૂ થયો જે બપોરે ચાલુ રહ્યો હતો.
સાધ્વી પ્રજ્ઞાના આ પગલા પર કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે પ્રતિબંધ લાગૂ હોવા છતા મંદિર તતા ગૌશાળામાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે જવાને લઇને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. જે બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને નોટિસ મોકલીને જવાબ માંગવામાં આવ્યો છે. સાધ્વી પ્રજ્ઞાનો જવાબ મળ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ પોતાની રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી હતી.
સાધ્વી પર 72 કલાકનો પ્રતિબંધ
સાધ્વી પ્રજ્ઞા સિંહે આચાર સંહિતા લાગૂ હોવા છતા કહ્યું હતું કે 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી ત્યારે તે ત્યાં હાજર હતી. ઉપરાંત સાધ્વી પ્રજ્ઞાએ મસ્જિદના ગુંબજ પર ચઢીને તેને ધ્વસ્ત કરવામાં ખુદને સામેલ હોવા પર ગર્વની લાગણીની વાત કહી હતી. સાધ્વીના આ નિવેદનને વિવાદીત જણાતા ચૂંટણી પંચે તેમના પ્રચાર કરવા પર 72 કલાક માટે પ્રતિંબધ મુકી દીધો હતો. જે ગુરુવારે સવારે 6 વાગ્યે લાગુ થયો હતો. જે આજે સમાપ્ત થઈ હત્યો છે. જોકે એ પહેલા ચૂંટણી પંચે સાધ્વીને વધુ એક નોટિસ ફટકારી દીધી છે.