ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ફરી એક વાર વિવાદીત નિવેદનને લઈને ચર્ચામાં આવ્યાં છે આ વખતે તેમણે દારુ જ્ઞાન રેલાવ્યું.
ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું દારુ જ્ઞાન
કહ્યું ઓછો દારુ પીવો દવા જેવું કામ કરે છે
વધારે ઝેર સમાન છે
ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ફરી એકવાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. ભાજપના સાંસદે અહીં એક નિવેદનમાં કહ્યું હતું કે, ઓછી માત્રામાં દારૂ લેવો દવાની જેમ કરે છે. તેમણે કહ્યું કે મર્યાદિત માત્રામાં આલ્કોહોલ ડ્રગ તરીકે કામ કરે છે અને તે અમર્યાદિત માત્રામાં ઝેર જેવું છે. સાધ્વી પ્રજ્ઞાના નિવેદનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તે પણ વાયરલ થઈ રહ્યો છે.
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે ,'દારૂ સસ્તો હોય કે મોંઘો, દારૂ દવાનું કામ કરે છે. આલ્કોહોલ મર્યાદિત માત્રામાં દવાનું કામ કરે છે અને તેને અમર્યાદિત માત્રામાં પીવામાં આવે તો ઝેર થઈ જાય છે. સાધ્વીએ કહ્યું કે આ બધાએ સમજવું જોઈએ, સાંભળવું જોઈએ અને વધુ લેવાથી થતા નુકસાનને સમજવું જોઈએ અને અટકાવવું જોઈએ."
મધ્યપ્રદેશમાં દારુબંધીનું સમર્થન કર્યું
સાધ્વીએ મધ્યપ્રદેશમાં દારુબંધીનું પણ સમર્થન કર્યું. તેમણે કહ્યું કે એમપીમાં પણ દારુબંધી થવી જોઈએ કારણ કે તેનાથી અપરાધ વધે છે અને ઘરમાં ઝગડા થાય છે.
ગૌમૂત્ર પીવાથી ફેફસાનું ઈન્ફેક્શન મટે છે-પહેલા આપ્યું હતું આવું નિવેદન
સાધ્વી પ્રજ્ઞાનું આ કંઈ પહેલું વિચિત્ર નિવેદન નથી. આ પહેલા તેમણે કહ્યું કે ગૌમૂત્ર પીવાથી ફેફસાનું ઈન્ફેક્શન મટે છે. હું ખુદ ગૌમૂત્રનો અર્ક લઉ છું અને તેથી મને મારે કોરોનાની કોઈ દવા લેવી પડી નહોતી કે મને કોરોના પણ થયો નથી.