ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માએ આપેલા પયગંબર મહોમ્મદ પરની ટિપ્પણીના સમર્થનમાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા પણ તેમના સપોર્ટમાં આવ્યા છે.
ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા
નુપુરના નિવેદનમાં સુરમાં સુર પુરાવ્યો
વિધર્મીઓ પણ સવાલ કર્યા
ભારતીય જનતા પાર્ટીના બે પૂર્વ નેતાની પયગંબર મહોમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દેશભરમાં જ નહીં પણ વિદેશમાં પણ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ભાજપના નેતા અને ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, આ ભારત છે, હિન્દુઓનો દેશ છે અને અમે અહીં સનાતનને જીવીત રાખીશું. સાધ્વી પ્રજ્ઞા સિંહનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓએ પર સવાલ ઉઠાવતા જવાબ આપી રહી છે. તે કહે છે કે, વિધર્મીઓએ હંમેશા આવુ જ કર્યું છે.
#WATCH These non-believers have always done so. They have a communist history...Like Kamlesh Tiwari said something he was killed, someone else (Nupur Sharma)said something& they received threat.India belongs to Hindus & Sanatana Dharma will stay here:BJP's Sadhvi Pragya in Bhopal pic.twitter.com/GPqg9DWKwo
વીડિયોમાં સાધ્વી પ્રજ્ઞા સવાલના જવાબમાં કહે છે કે, હંમેશા વિધર્મીઓએ આવું જ કર્યું છે, કમલેશ તિવારીએ જો કંઈ કહ્યું છે તેમાં તેમને પીડા થઈ છે. તેમનું મર્ડર થઈ ગયું, અને જો કોઈ કહેશે તો ધમકી, આપણા દેવી દેવતાઓની આ લોકો ફિલ્મ બનાવે છે, ડાયરેક્શન આપે છે, ડાયરેક્ટ કરે છે, તેને પ્રોડ્યૂસ કરે છે અને ફિલ્મ બનાવે છે, ગાળો આપે છે, આજથી નહીં, પણ આખો કમ્યુનિસ્ટ ઈતિહાસ છે, તેમનો, આ લોકો સમગ્રપણે પોતાની વિધર્મી માનસિકતા છત્તી કરે છે.
અહીં સનાતન જીવતું રહે છે
તે આગળ જણાવે છે કે, આ ભારત છે અને હિન્દુઓનો દેશ છે. અહીં સનાતન જીવીત રહેશે અને અમારા લોકોની તે જવાબદારી છે અને અમે રાખીશું, આ અગાઉ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, સાચુ કહેવુ જો બળવો હોય તો, સમજી લો કે અમે પણ બળવાખોર છીએ, જય સનાતન, જય હિન્દુત્વ, ભાજપે પયગંબર પર ટિપ્પણી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. તેમાં નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. જ્યારે અન્ય એક નેતાને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ખાડી દેશોએ નુપૂરના નિવેદન સામે ભારે વાંધો ઉઠાવ્યો છે.