વિશ્વ હિન્દૂ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા સાધ્વી પ્રાચીએ જણાવ્યું કે, નક્સલવાદ, આતંકવાદ અને દુષ્કર્મની ઘટનાઓનો જવાબદાર નેહરુ પરિવાર છે. સાથે જ તેમણે જણાવ્યું કે, ભારતમાં રામ અને કૃષ્ણની સંસ્કૃતિ છે.
વિશ્વ હિન્દૂ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યુ
સાધ્વી પ્રાચીએ જણાવ્યું કે દુષ્કર્મની ઘટનાઓનો જવાબદાર નેહરુ પરિવાર છે
રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પર સાધ્વી પ્રાચીએ વિવાદીત નિવેદન આપ્યું
નેહરુએ રામ અને કૃષ્ણની સંસ્કૃતિને બર્બાદ કરી હોવાનું સાધ્વી પ્રાચીએ જણાવ્યું. દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈને રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, ભારત દેશ દુષ્કર્મની રાજનીતિ તરીકે વિકસીત થઈ રહ્યું છે. રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પર સાધ્વી પ્રાચીએ વિવાદીત નિવેદન આપ્યું છે.
આ ઉપરાંત સાધ્વી પ્રાચીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ નિશાને લીધા. તેઓએ કહ્યું કે અખિલેશ જ્યારે સત્તામાં હોય છે તો, બળાત્કારીઓને બચાવે છે અને વિપક્ષમાં રહેવા પર ધરણા કરે છે.
સાધ્વીએ હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડરના ચારેય આરોપીઓના એન્કાઉન્ટર પર ત્યાની પોલીસની પ્રશંસા કરી હતી.