નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતાઅને તેની બહેન તત્વપ્રિયા આખરે નાટ્યાત્મક રીતે સોસીયલ મીડિયાના માધ્યમથી મીડિયા સામે આવી માતાપિતાને ખોટા ગણાવ્યા છે. આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.
હું અહીં ખુશ છું, મારૂ અપહરણ નથી થયું, હું મારા કામથી બહાર છુંઃ નિત્યનંદિતા
પરિવારના વિવાદમાં સંસ્થાને વચ્ચે લાવવામાં આવીઃ પ્રાણપ્રિયા
આશ્રમના વકીલે કહ્યું- આશ્રમ અને સંચાલકો પર જે આક્ષેપો થયા તે પાયા વિહોણા
આ મામલે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. પિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસ અને CWCએ સંયુક્ત તપાસ શરૂ કરી છે. ત્યારે આ મામલે નિત્યાનંદના આશ્રમની સાધિકા પ્રાણપ્રિયા સામે ફરિયાદ નોંધાઇ છે. જેને લઇને તેણે નિવેદન આપ્યું છે. તો નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે મોટો ખુલાસો થયો છે. ગુમ દીકરી નિત્યાનંદિતા ત્રિનિદાદમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે નિત્યનંદિતા સાથે વીડિયો કોલિંગથી વાત કરી હતી. બીજી તરફ આશ્રમના વકીલે કહ્યું કે તમામ આક્ષેપો પાયાવિહોણા છે.
આ પરિવારની આંતરિક સમસ્યા છેઃ પ્રાણપ્રિયા
અમદાવાદના નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલી બાળકી મામલે સાધિકા પ્રાણપ્રિયા સામે ફરિયાદ થઈ છે. તેમણે પોતાના ગુરુ નિત્યાનંદનો બચાવ કર્યો હતો. તેમજ નિત્ય નંદિતા ક્યાં છે તે કહેવાનો સ્પષ્ટ ના પાડી હતી. નિત્યનંદિતા ક્યાં છે તેની અમને ખબર નથી. તે પોતાની મરજીથી ફરવા ગઈ છે. તેને તેના માતાપિતા સાથે બનતુ નથી.
પ્રાણપ્રિયાએ વીટીવી સમક્ષ નિવેદન આપ્યુ છે કે, આ તેમના પરિવારની આંતરિક સમસ્યા છે. પરિવારના વિવાદમાં સંસ્થાને વચ્ચે લાવવામાં આવ્યા. સાથે જ તેમણે કહ્યું કે, અમારા આશ્રમમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા આવે છે. દેશના અલગ અલગ રાજ્યમાંથી બાળકો અભ્યાસ કરવા માટે આશ્રમમાં આવે છે.
હું અહીં ખુશ છું, મારૂ અપહરણ નથી થયું, હું મારા કામથી બહાર છુંઃ નિત્યનંદિતા
નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા અને તત્વપ્રિયા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે મીડિયા સામે આવીને કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. મીડિયા સાથેના વીડિયો કોલમાં નિત્ય નંદિતાએ જણાવ્યું કે, હું ખુશ છું મારી જોડે કાંઈ ખોટું નથી થઈ રહ્યું, મારુ અપહરણ નથી થયું. મારા માતા પિતા ખોટું કહી રહ્યાં છે. આ બધા વિવાદથી મને દુઃખ થાય છે. મારા માતા પિતા મને ખુબ જ હેરાન કરી રહ્યા છે.
મેં પેહલા 1 નવેમ્બરે નિવેદન આપી ખુલાસો કર્યો છે. હું ક્યાં છું તે હું કહેવા નથી માંગતી. હું આશ્રમના કામથી બહાર છું. હું તમામ કાયદાકીય અને પોલીસની કામગીરીમાં સહયોગ આપીશ. હું ક્યાં છું તે હું કોઈને કહેવા માંગતી નથી. મારા પિતાએ નાણાંની ઉચાપત કરી હતી તે મારી મોટી બહેનને ખબર છે. તે બધું ખબર પડી તેથી મારે તેમની સાથે જવું નથી. જ્યારે પણ મને સલામતી હોવાનો અનુભવ થશે ત્યારે હું સામે આવીને નિવેદન આપીશ. બીજી બાજુ નિત્યનંદિતાએ પોતાની સગી મા પર આક્ષેપો કર્યા છે કે મારી માના જગદીશ નામના માણસ સાથે સબંધો હતા અને તે જગદીશ મને પણ સેક્સસયોલ હેરેસમેન્ટ કરતો હતો.
બન્ને બાળકોના CWC દ્વારા ફરી નિવેદન લેવાયા
બન્ને બાળકોના CWC દ્વારા ફરી એક નિવેદન લેવામાં આવ્યા છે. કેમેરાની સામે બન્ને બાળકોની પુછપરછ કરવામાં આવી. વિવેકાનંદ નગર પોલીસ દ્વારા બાળકોની પુછપરછ કરવામાં આવી હતી. મહિલા અધિકારીની હાજરીમાં બાળકોના નિવેદન લેવામાં આવ્યા.
આશ્રમના વકીલે કહ્યું- આશ્રમ અને સંચાલકો પર જે આક્ષેપો થયા તે પાયા વિહોણા
આશ્રમના વકીલ નીતિન ગાંધીએ કહ્યું કે આશ્રમ અને સંચાલકો ઉપર જે આક્ષેપો થયા તે તમામ પાયા વિહોણા છે જે કોઈ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર થયો છે તેના વિરુદ્ધમાં અમે અમારી પણ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવીશું. ફરિયાદી વિરુદ્ધ ભૂતકાળમાં જે આક્ષેપો થયા છે તેની હકીકત અને વાસ્તવિકતા તપાસીને જરૂર જણાશે તો કાર્યવાહી કરીશું. આવનાર સમયમાં અમારા વિરુદ્ધ જેમને ફરિયાદ દાખલ કરી છે તે સાચી સાબિત નહીં થાય તો માનહાનીનો દાવો પણ કરીશું. ગુમ થયેલ યુવતીઓ બાબતે ફરિયાદી પક્ષ તરફથી હેબીયર્સ કોપર્સ દાખલ કરશે તો અમે પણ કાયદાકીય લડત આપીશું કારણ કે આશ્રમની બંને યુવતીઓ પુખ્ત વયની છે.
હાલ તો પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તાપસ કરી રહી છે કે યુવતીઓ ખરેખર છે ક્યાં ? તપાસનીશ અધિકારી સમીર સારડાએ જણાવ્યું હતું કે આશ્રમ વિરુદ્ધ જે કોઈ ફરિયાદ દાખલ થઈ છે તથ્યો હકીકતો અને પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર કેસમાં આક્ષેપાત્મક ફરિયાદ છે. ફરિયાદની તપાસના અંતે જે કોઈ દોષિત પુરવાર થશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
અહીં સવાલ એ ઉભો થાય છે કે માતા પિતા આશ્રમ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરે છે. ત્યારે એજ પુત્રીઓ માતા પિતા સામે બાંયો ચડાવી દીધી છે. ત્યારે આ આખા મામલાની અંદર સાચું શું છે તે તપાસનો વિષય છે.