કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને વેપારી રોબર્ટ વાડ્રાએ પણ ફેસબુક પોસ્ટ લખી એલ કે અડવાણીના પક્ષમાં વાત રાખી છે. રોબર્ટ વાડ્રાએ ભાજપ પર નિશાન તાકતાં કહ્યું કે આપણે પોતાના વરિષ્ઠની સલાહ માનતા નથી જે એક શરમજનક કહેવાય.
ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરતી ટિકિટ ન મળતાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ વખત મૌન તોડ્યું છે. લાલકૃષ્ણ અડવાણીએ લખેલા બ્લોગ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધી રહ્યાં છે.
જેમાં હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને વેપારી રોબર્ટ વાડ્રાએ પણ ફેસબુક પોસ્ટ લખી એલ કે અડવાણીના પક્ષમાં વાત રાખી છે. રોબર્ટ વાડ્રાએ ભાજપ પર નિશાન તાકતાં કહ્યું કે આપણે પોતાના વરિષ્ઠની સલાહ માનતા નથી જે એક શરમજનક કહેવાય.
રોબર્ટ વાડ્રાએ લખ્યું છે કે પાર્ટીના સૌથી મહત્વપૂર્ણ (આધારસ્તભ) રહેલા વ્યક્તિને લાંબા સમય સુધી ભુલાવી દીધા છે. જે નેતા પોતાની નીતિ અને શાસનકાળને લઇને જાણીતા છે, તેનું સન્માન થવું જોઇએ તેમને આ રીતે નજરઅંદાજ ન કરી શકાય. આ રીતે પોતાના દિગ્ગજની સલાહ ન માનવી એ શરમજનક કહેવાય. એક વિપક્ષના નેતા તરીકે હું તેમનું સન્માન કરુ છુ. એ બહુ દુઃખદાયક છે કે પાર્ટીએ તેમને ભુલાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણીએ ગુરૂવારના રોજ એક બ્લોગ લખ્યો હતો, તેમનો આ બ્લોગ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર લખ્યો હતો. જેમાં લખ્યું કે મારા માટે સૌથી પહેલા દેશ છે, પછી પાર્ટી અને ત્યાર બાદ હું પોતે છું.
લાલકૃષ્ણ અડવાણીના બ્લોગને લઇને વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ પોતાના ગુરૂ માટે શું કર્યું, શું આ હિન્દુ ધર્મ છે, મોદી આપણને હિન્દુ ધર્મ શિખવાડશે.