ખેડૂતોનું આંદોલન તેની ચરમસીમા ઉપર પહોંચ્યું છે. દિલ્હીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લા 7 કલાકથી ચાલી રહેલી મીટિંગનો અંત આવ્યો છે. સરકારે કહ્યું અમે ખેડૂતોની સાથે છીએ અને અમે તેમની ચિંતા છે. અમે આગામી 5 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બેઠક કરીશું ત્યારે અંતિમ નિર્ણય આવશે તેવી આશા રાખીએ છીએ.
ખેડૂતો સાથેની સરકારની બેઠક પૂર્ણ
સરકારે કહ્યું અમે ખેડૂતોની સાથે
આગામી બેઠક 5 ડિસેમ્બરના રોજ યોજાશે
MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં : કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર
ખેડુતો સાથે બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર અને ખેડુતોએ પોત-પોતાનો પક્ષ રાખ્યો હતો. ખેડૂતોની ચિંતા ન્યાયી ઠરે છે. સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે. સરકાર ખેડૂત સંઘ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી રહી છે. ખેડુતોના 2-3 મુદ્દા પર ચિંતા કરી રહ્યા છીએ. બેઠક સૌમ્ય વાતાવરણમાં યોજાઇ હતી. સરકાર APMCને મજબૂત બનાવવા પર વિચાર કરશે. આ સાથે જ કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે બેઠકમાં ખેડૂત નેતાઓને કહ્યું હતું કે, ન્યૂનતમ ટેકાના ભાવને સ્પર્શ કરવામાં આવશે નહીં, MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
People have reservations on MSP (Minimum Support Price). I would like to reiterate that the MSP system will continue and we will assure farmers about it: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/tmZWZq3kQX
7 કલાકથી વધુ સમય ચાલી ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક પૂરી થઈ છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે બપોરે 12 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ સાડા સાત કલાક સુધી ચાલી હતી. હવે આગામી બેઠક 5 ડિસેમ્બરે યોજાશે.
The meeting of farmer leaders with the central government concludes. Next meeting to be held on December 5. pic.twitter.com/QxesakLeHM
નવા કૃષિ કાયદાઓ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લા 5 કલાકથી મિટિંગ ચાલી રહી છે. જાણકારી પ્રમાણે ખેડૂતોએ 10 પેજનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. બેઠકમાં 40 ખેડૂતો સંગઠનોના નેતા હાજર છે. બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ પિયુષ ગોયલે અમિત શાહ સાથે શેર કર્યા છે.
સૂત્રો પ્રમાણે વાતચીતમાં ખેડૂતો ખૂબ સ્પષ્ટ અને મક્કમ છે. તેનો પોતાની માંગ ઉપર અડીને રહ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલ ખાવાનું ખાવાથી પણ તેમણે ઇનકાર કરી દીધો છે.
દિલ્હી બાર કાઉન્સિલે ખેડૂત આંદોલનમાં પોતાનું સમર્થન કર્યું જાહેર
દિલ્હી બાર કાઉન્સિલે ખેડૂત આંદોલનમાં પોતાનું સમર્થન જાહેર કરીને PM મોદીને પત્ર લખીને આ કાયદાઓ રદ કરવા માટે વિનંતી કરી છે.
આ પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેશના બંધારણમાં અધિકારીઓ એટલે કે બ્યુરોક્રસી અને ન્યાયતંત્ર એટલે કે અદાલતોને જુદા રાખવામાં આવ્યા છે. જો અધિકારીઓ ન્યાયિક બાબતો સંભાળવા લાગશે તો દેશમાં ભ્રષ્ટ્રાચારમાં વધારો થશે. આ કાયદાને જિલ્લા અદાલતોને નબળી પાડી રહ્યા છે.
92 વર્ષીય પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલને 2015માં સરકાર તરફથી બીજો સૌથી ઉચ્ચ પુરસ્કાર ગણાતો પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો. તેઓ આ આંદોલનના સમર્થનમાં પુરસ્કાર પાછો આપનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ ઉપરાંત તેમણે શિરોમણી અકાલી દળનો NDA જૂથમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે આ સરકારે ખેડૂતોને દગો દીધો છે.
પ્રકાશ સિંહ બાદલે પોતાનો પદ્મ વિભૂષણ પુરસ્કાર પરત કર્યો
92 વર્ષીય પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલને 2015માં સરકાર તરફથી બીજો સૌથી ઉચ્ચ પુરસ્કાર ગણાતો પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો. તેઓ આ આંદોલનના સમર્થનમાં પુરસ્કાર પાછો આપનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ ઉપરાંત તેમણે શિરોમણી અકાલી દળનો NDA જૂથમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે આ સરકારે ખેડૂતોને દગો દીધો છે.
અમિત શાહ અને પંજાબના CM કેપ્ટન અમરિંદર વચ્ચે બેઠક યોજાઇ
કૃષિ કાયદા સામે દિલ્હી-NCR વિસ્તારમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. પંજાબના સીએમએ કહ્યું સરકાર અને ખેડૂતો વચ્ચે ઝડપથી ઉકેલ આવવો જોઇએ.
ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક પછી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે અમે આ વિવાદનો ઝડપથી ઉકેલ લાવવા ઇચ્છીએ છીએ. પંજાબના ખેડૂતોના પ્રદર્શનના કારણે રાજ્યની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે, આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ તેની અસર જોવા મળી રહી છે. અમે ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
સરકાર સાથેની ખેડૂતોની વિજ્ઞાન ભવનમાં મળનારી બેઠક પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે વાતચીતને લઇને આશાવાદી છીએ. આશા છે કે વાતચીતથી કોઇને કોઇ હળ જરૂરીથી નીકળશે. જો અમારી માગણ માનવામાં નહી આવે તો ખેડૂત ગણતંત્ર દિવસ પર પરેડમાં ભાગ લેશે.
We are hopeful that the talks will be productive. If our demands are not met then the farmers will take part in the Republic Day parade held in Delhi: Farmer leader Rakesh Tikat at Vigyan Bhawan in Delhi#FarmerProtestpic.twitter.com/ZykfomDMgt
ખેડૂતોએ સરકાર સામે જે ડ્રાફ્ટ રજૂ કર્યો છે તેમા આ મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યાં છે.
ત્રણેય કૃષિ બીલ પરત લેવામાં આવે
વાયુ પ્રદુષણના કાયદામાં ફેરફાર પરત ખેંચવામાં આવે
વીજળી બિલના કાયદામાં બદલા છે, તે ખોટો છે
MSP પર લેખિતમાં ભરોસો આપો
કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર ખેડૂતોને વાંધો
ખેડૂતોએ ક્યારેય એવા બીલની માગ નથી કરી, તો પછી કેમ લાવવામાં આવ્યું
ડિઝલની કિંમત અડધી કરવામાં આવે
અમિત શાહ અને કૃષિમંત્રી વચ્ચે બેઠક
ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાનારી બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. ખેડૂતોએ એક ડ્રાફટમાં કુલ આઠ માગણી રાખી છે, જેને લઇને ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં કુલ 40 ખેડૂત સંગઠન સામેલ થશે.
ખેૂડતોએ મોકલી આપત્તિ (વાંધા)ની યાદી
ખેડૂત સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારને આપત્તિઓની એક યાદી સોંપવામાં આવી છે. જેમાં ખેડૂતોએ કૃષિ કાયદાની સાથે સાથે વાયુ ગુણવત્તા અધ્યાદેશ અને પ્રસ્તાવિત વીજળી (સંશોધન) બીલને લઇને પણ આપત્તિઓ દર્શાવી છે.
MSP પર અડ્યા બંને પક્ષ
ખેડૂતોનું આંદોલન ચાલુ છે ત્યારે હવે ખેડૂત સંગઠનો દ્વારા જણાવામાં આવ્યું છે કે સરકાર દ્વારા કાયદો પરત લેવો પડશે. બીજી તરફ સરકાર પણ ખેડૂતોની ફરિયાદ દૂર કરવા તૈયાર છે, પરંતુ કાયદા પર ટસ થી મસ થવા માંગતી નથી. જેને લઇને સ્થિતિ ગંભીર બની રહી છે.
ખેડૂતો માટે આજનો દિવસ છે ઘણો મહત્વનો
કૃષિ વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. આજ રોજ અમિત શાહ અને પંજાબના મુખ્યમંત્રી વચ્ચે બેઠક, ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સિંધુ બોર્ડર પર પહોંચશે, જ્યારે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરી એકવાર બેઠક યોજાશે.
આંદોલનને ગુજરાતના ખેડૂતોનું સમર્થન
કૃષિ કાયદાઓનો વિરોધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે જેને ગુજરાતના ખેડૂતોનું પણ સમર્થન મળ્યું છે. દિલ્હીમાં ગુજરાતના ઘણી સંખ્યાના ખેડૂતો પહોંચ્યાં છે.
ખેડૂતોની ચેતવણી
ભારતીય ખેડૂત યુનિયનના ખેડૂતો રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો આજે સરકાર માંગણી નહી માને તો આંદોલન હાથમાંથી બહાર નીકળી જશે. ગાજીપુર સીમા પર 12 વાગે રણનીતિ બનાવવા માટે પંચાયત થશે. સરકાર ઝડપથી કાયદો પરત ખેંચી લે.