અનુરાગ કશ્પયના ડિરેક્શનમાં બનેલી 'સેક્રેડ ગેમ્સ' 15 ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં આવી.
હવે આ વેબ સીરિઝના ઘણા સીન્સ પર વિવાદ શરૂ થઇ ગયો છે. દિલ્હીના સિખ ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ તથા શિરોમણી અકાળી દળના વિધાયક મનજિંદર સિંહ સિરસાએ સેક્રેડ ગેમ્સને બંધ કરવાની માંગ કરી છે. મનજિંદર સિંહ સિરસાએ કેન્દ્રીય અને પ્રસરણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો.
મનજિંદર સિંહ સિરસાએ કહ્યુ કે, નેટફ્લિક્સ પર આવનારા 'સેક્રેડ ગેમ્સ' માં આપત્તિજનક દશ્યો બતાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે, ''સિખોના 5 કકરોમાંથી એક કડુ હોય છે, સિખ કકાર ના ઉતારી શકાય, તેના માટે જીવ પણ કેમ ના ગુમાવવો પડે. પરંતુ 'સેક્રેડ ગેમ્સ' ના એક એપિસોડમાં સરદારનો રોલ પ્લે કરી રહેલા એક્ટર સૈફ અલી ખાને પોતાનુ કડુ ઉતારીને સમુદ્રમાં ફેંકી દીધું."
મનજિંદર સિંહ સિરસાએ આગળ કહ્યુ કે, ''સિખોને આ કડુ લોભ લાલચમાં નથી મળ્યુ અને પરંતુ કુરબાની આપીને મળ્યુ છે. કડાને ઉતારવુ એટલે પોતાની સિખીને ઉતારીને પાણીમાં ફેંકવા બરાબર છે, આવા નાલાયકે દુનિયામાં જન્મ નથી લીધો.''
આ સિવાય 'સેક્રેડ ગેમ્સ' ને લઇને સિરકાએ કહ્યુ કે, ''વેબ સીરિઝમાં હિંદૂ ધર્મને વિરુદ્ઘ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યા છે. ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યુ છે. હિંદ ધાર્મિક ચિન્હોનું અપમાન કરવામાં આવ્યુ છે. આ લોકોનો મુખ્ય હેતુ કંટ્રોવર્સી ક્રિએટ કરવાનું છે જેથી તેમણે ફ્રીમાં પબ્લિસિટી મળી શકે. આ લોકો રૂપિયા બનાવવા માટે કોઇપણ સ્તરે જઇ શકે છે.''
તેમણે ચેતવણી આપતા કહ્યુ કે, ''અમે નેટફ્લિક્સને જણાવવા ઇચ્છીએ છીએ કે, અમે લોકો જરાય સહન નહી કરીએ કે કોઇ અમારા ધર્મને લઇને કહી પણ કહે. અમે દેશવ્પાયી આંદોલન કરીશું અને તેમનુ જીવવાનું મુશ્કેલ કરી દઇશું. અમે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને સીરિઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.''
દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર બગ્ગાએ એમની હાલમાં જ આવેલી સેક્રેડ ગેમ્સ 2ના એક સીનને લઇને ફરિયાદ નોંધી છે. બગ્ગાએ ફરિયાદમાં લખ્યુ કે, ''કડુ શિખ ધર્મમાં એક પવિત્ર અને અભિન્ન વસ્તુ માનવામાં આવી છે અને તેણે આદર અને વિશ્વાસની સાથે પહેરવામાં આવે છે.''ભાજપના નેતાએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ કલમ 295-A, 153, 153-A, 5.4, 505, હેઠળ ફરિયાદ નોંધાવી છે.