આઈપીએલ 2021ની હરાજી 18 ફેબ્રુઆરીનાં રોજ ચેન્નાઈમાં યોજાશે જેમાં 1097 પ્લેયર્સે આઈપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ આ આઈપીએલમાં સચિનનાં દીકરા અર્જુન તેન્ડુલકર પર બધાની નજર રહેશે.
814 ભારતીય અને 283 વિદેશી પ્લેયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું
વર્ષો બાદ શ્રી સંત આઈપીએલ રમતો જોવા મળશે
પૂજારાએ પણ આઈપીએલમાં પહેલી વખત રજિસ્ટ્રેશન કરાવ્યું
અર્જુન તેન્ડુલકરે આઈપીએલ 2021માં રજિસ્ટ્રેશન કરાવ્યું
ઈન્ડિયન પ્રિમીયર લીગ 2021ની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. જે અર્થે 18 ફેબ્રુઆરીએ મિની ઓક્શન યોજવામાં આવશે. તે પહેલા 1097 પ્લેયર્સે આઈપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે, જેમાં ક્રિકેટરનાં ભગવાન કહેવામાં આવતા સચિન તેન્ડુલકરનાં દીકરા અર્જુન તેન્ડુલકરે પણ ભાગ લીધો છે. આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સ વતી રમે તેવી પુરી શક્યતાઓ જોવા મળી રહી છે. અર્જુન થોડા સમય પહેલા સૈયલ મુશ્તાક અલી ટ્રોફી 2021માં પણ રમ્યો હતો. જાણીએ કયા ક્યા ખેલાડીઓએ આ વર્ષનાં આઈપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને કોની કેટલી બેઝ પ્રાઇઝ છે.
863 પ્લેયર્સ અનકેપ્ડ
આઈપીએલ 2021ની હરાજી માટે 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જેમાંથી 863 ખેલાડીઓ એવા છે જે અનકેપ્ડ છે અને 207 ખેલાડીઓ ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. મિની ઓક્શ માટે ઈંગ્લેન્ડનાં ટેસ્ટ કેપ્ટન જો રુટ, ઓસ્ટ્રેલિયાનાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક અને બાંગ્લાદેશનાં ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
એસ. શ્રીસંત પણ રમતો જોવા મળશે
સાથે સાથે ઘણાં સમયથી આઈપીએલમાંથી બહાર રહેલો એસ. શ્રીસંત પણ આ વખતે આઈપીએલ રમતો જોવા મળશે. 2013માં તેનાં પર આઈપીએલ રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે પ્રતિબંધ ગયા વર્ષે પૂરો થઈ ગયો છે. તે ઉપરાંત શ્રીસંતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021 રમી લીધી છે.
પૂજારા અને વિહારીએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યુ
ઓસ્ટ્રેલિયા સામે પોતાની મજબૂત ગેમ રજૂ કરનાર ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારીએ પણ આઈપીએલ મિની ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. પૂજારાની બેઝ પ્રાઇઝ 50 લાખ રુપિયા અને વિહારીની 1 કરોડ રુપિયા બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. હરભજન સિંહ, ગ્લેન મેક્સવેલ, કેદાર જાદવ, સ્ટીવ સ્મિથ, મોઈન અલી, સેમ બિલિંગ્સ, સિયમ પ્લંકેટ, જેસન રોય, માર્ક વુડ અને કોલિન ઈન્ગ્રામ પણ સામેલ છે. જેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા નક્કી કરવામાં આવી છે.
અર્જુ તેન્ડુલકર આઈપીએલ 2021માં રમતો જોવા મળી શકે છે
2021ની આઈપીએલમાં સૌથી ખાસ વાત એ છે કે સચિન તેન્ડુલકરનાં દીકરો અર્જુન તેન્ડુલકર પણ આઈપીએલમાં રમતો જોવા મળશે. ઓલરાઉન્ડર અર્જુનએ 18 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજી માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની બેઝ પ્રાઇઝ 20 લાખ રુપિયા રહેશે. અર્જુન તેન્ડુલકર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021માં મુંબઈની ટીમમાં રમી ચૂક્યો છે.
પંજાબ સોથી વધારે 53.20 કરોડ સાથે હરાજીમાં જોડાશે
ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે બીજી ટેસ્ટનાં એક દિવસ બાદ આઈપીએલ 2021ની હરાજી ચેન્નાઈમાં ભારતીય સમય પ્રમાણે 3 કલાકે શરુ થશે. જેમાં કિંગ્સ ઈલેવન પંજાબ 53.20 કરોડ સાથે સૌથી વધારે બજેટ સાથે હરાજીમાં જોડાશે. ત્યારબાદ આરસીબી 35.90 કરોડ, રાજસ્થાન રોયલ્સ 34.85 કરોડ, સીએસકે 22.90 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ 15.55 કરોડ, ડીસી 12.9 કરોડ, કેકેઆર અને એસઆરએચ 10.75 કરોડનું બજેટ લઈને હરાજીમાં જોડાશે. આઈપીએલમાં કોઈ પણ એક ટીમ પાસે વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 પ્લેયર્સ હોઈ શકે છે જેમાંથી 8 વિદેશી અને બાકીનાં ભારતીય પ્લેયર હોય છે.