સચિને પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આ વાત શૅર કરી છે અને વીડિયો મેસેજમાં કહ્યું કે હું જ્યારે ગયા વર્ષે મુંબઇમાં પ્લાઝ્મા ડોનેશન સેન્ટરમાં ઉદ્ધાટન માટે ગયો હતો ત્યારે ત્યાંના ડૉક્ટરે મને કહ્યું હતુ કે જો સમયસર કોરોના સંક્રમિત લોકોને પ્લાઝમા આપવામાં આવે તો તેમની હાલતમાં જલ્દી સુધારો આવી જાય છે. તેના કારણે હવે હું પણ પ્લાઝમા ડોનેટ કરીશ.
સચિને ફેન્સનો આભાર માન્યો
સચિનના જન્મદિવસ પર ફેન્સ અને શુભચિંતકોએ વિશ કર્યુ અને ક્રિકેટરે આભાર જતાવ્યો હતો. તેણે કહ્યું કે મારા જન્મદિવસ પર વધાઇ આપવા માટે તમારા સૌનો ધન્યવાદ. ગયો મહિનો મારા માટે ખુબ મુશ્કેલીભર્યો હતો. મારે 21 દિવસ આઇસોલેશનમાં રહેવુ પડ્યુ હતુ અને ડૉક્ટર તેમજ મેડિકલ સ્ટાફની દુઆઓ અને દેખરેખ હેઠળ હું આ જંગ જીતી શક્યો છુ.
Thank you everyone for your warm wishes. It's made my day special. I am very grateful indeed.
સચિનને પોઝીટીવ
દિગ્ગજ ભારતીય ખેલાડી સચિન તેંડૂલકર આ ટુર્નામેન્ટના અંતે કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા આ તેમના ફેન્સ માટે મોટો ઝટકો હતો. કોવિડના પ્રોટોકોલના કારણે આ સિરીઝમાં સામેલ થયેલા બધા ખેલાડીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં સચિન સંક્રમિત છે તેવુ સામે આવ્યુ હતુ.
ઘરમાં જ થયા હતા આઇસોલેટ
સચિનને જ્યારે ખબર પડી કે તે પોઝીટીવ છે ત્યારે ઘરમાં જ આઇસોલેટ થઇ ગયો હતો અને ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યો હતો પરંતુ થોડા દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ.
મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખનું નિવેદન
અસલમ શેખે ન્યુઝ એેજન્સી એએનઆઇમાં આપેલ એક નિવેદનમાં કહ્યું કે, એસિમ્પ્ટોમેટિક સેલિબ્રીટીઝનો ઇલાજ ઘરે જ થવો જોઇએ. તે લોકોએ હોસ્પિટલમાં બેડ પર કબ્જો ન જમાવવો જોઇએ. અક્ષય કુમાર, સચિન તેંડૂલકર જેવી હસ્તીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર જ નહોતી. દવાખાનામાં બેડ જરૂરિયાતમંદ લોકો માટે રહેવા જોઇએ.
સચિને ટ્વિટ કરીને માહિતી આપી હતી
કોવિડ -19 ટેસ્ટમાં સચિન ઉપરાંત એસ બદ્રીનાથ, યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ પણ પોઝિટિવ આવ્યા હતા. રાયપુરમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે સચિનની કપ્તાની હેઠળ જીત મેળવી હતી. સચિને તેની હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી અંગે પણ ટ્વિટ કરી હતી. સચિને ટ્વિટ કરીને લખ્યું કે તમારી ઇચ્છાઓ અને પ્રાર્થના બદલ આભાર. તબીબી સલાહ હેઠળ સાવચેતી તરીકે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પરત ફરીશ. તમારી સંભાળ રાખો અને સલામત રહો.