ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીને પત્ર લખીને ભારતના દરેક આંતરરાોષ્ટ્રીય પદક વિજેતાઓને કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજનામાં સામેલ કરવાનું નિવેદન કર્યું છે.
સ્વાસ્થ્ય સંબંધી મુદ્દા દરમિયાન ખેલાડીઓની મુશ્કેલીઓ પર વાત કરતાં રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકરે પોતાના પત્રમાં હોકી ઓલ્મ્પિક સ્વર્ણ પદક વિજેતા મોહમ્મદ શાહિદના અંતિમ દિવસોનું ઉદાહરણ આપ્યું છે.
તેંડુલકરે 24 ઓક્ટોબરે મોદીને પત્રમાં લખ્યું કે સંબંધિત ખેલાડીના રૂપમાં પોતાના દેશના દરેક ખેલાડીઓની તરફથી લખીને આગ્રહ કરું છું કે તમે હસ્તક્ષેપ કરીને આંતરરાષ્ટ્રીય સ્તપ પર પદક જીતનાર દરેક ખેલાડીઓને સીજીએચએસ સુવિધાઓના પાત્ર ખેલાડીઓની યાદીમાં સામેલ કરે. સીજીએચએસ સુવિધાઓનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળે છે. જે એનાથી જોડાયેલ મેડિકલ કેન્દ્રો પર ઉપચાર કરી શકે છે.
તેંડુલકરે પ્રધાનમંત્રી મોદીને કહ્યું કે એ આ મુદ્દાને આ પહેલા ખેલ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય બંને સાથે ઊઠાવી ચુક્યા છે. તેંડુલકરે લખ્યું કે સ્વાસ્થ્ય મંત્રલયે આ વિચારનું સમર્થન કર્યું છે પરંતુ 14 સપ્ટેમ્બરે પોતાના જવાબમાં સીજીએચએસ યોજના હેઠળ વિસ્તૃત રૂપથી ખેલાડીઓ પર વિચાર કરવામાં અક્ષમતા વ્યક્ત કરી છે.